મહારાષ્ટ્રના રાજકીય બળવાના સૂત્રધાર ગણાતા એકનાથ શિંદેએ મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે વાત કરી હતી.
એકનાથ શિંદેએ મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે કરી વાતચીત
MNS ચીફ રાજ ઠાકરે સર્જરી કરાવીને ઘેર આવ્યાં છે
બન્ને નેતાઓ વચ્ચે મહારાષ્ટ્ર સંકટને લઈને ચર્ચા થઈ હોવાની શક્યતા
મહારાષ્ટ્રમાં હવે ગમે તે ઘડીએ મોટી જાહેરાત થવાની શક્યતા નકારી ન શકાય. બાગી નેતાના ચીફ એકનાથ શિંદેએ રવિવારે રાતે મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે વાત કરી હતી. શિંદેએ રાજ ઠાકરેની તબિયતના ખબર અંતર પૂછ્યાં હતા.
How can Balasaheb Thackeray's Shiv Sena support people who had direct connection with culprits of Mumbai bomb blast, Dawood Ibrahim & those responsible for taking lives of innocent people of Mumbai. That's why we took such step, it's better to die, tweets Eknath Shinde pic.twitter.com/9Tbjd7CLs1
ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેની હિપની સર્જરી થઈ છે અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી છે અને ઘેર આરામ કરી રહ્યાં છે. તેમની વચ્ચે મહારાષ્ટ્રના રાજકીય સંકટને લઈને ચર્ચા થઈ હોવાની પણ શક્યતા છે.
શિવસેનાને બચાવવા માટે મરી જવું વધુ સારું: શિંદે
એકનાથ શિંદેએ ટ્વિટ કરીને લખ્યું, "હિન્દુ હૃદય સમ્રાટ વંદના બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વવાદી વિચારો માટે અને બાળાસાહેબની શિવસેનાને બચાવવા માટે આપણે મરી જઈએ તો સારું. જો એવું થશે તો આપણે સૌ પોતાને ભાગ્યશાળી માનીશું.
સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે થશે સુનાવણી, બંને પક્ષના વકીલોનો નિર્ણય
મહારાષ્ટ્રનું રાજકીય સંકટ હવે સુપ્રીમના દ્વારે પહોંચ્યું છે. બાગી છાવણીના નેતા એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરીને ડેપ્યુટી સ્પીકરની અયોગ્યતાની નોટીસને પડકારી છે. આવતીકાલે સુપ્રીમમાં આ કેસની સુનાવણી થવાની છે. જાણીતા વકીલ હરીશ સાલ્વે આવતીકાલે એકનાથ શિંદે વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થશે. શિંદે જૂથે તેમનો કેસ લડવા માટે હરીશ સાલ્વેની પસંદગી કરી છે. સાથે જ અભિષેક મનુ સિંઘવી શિવસેના તરફથી કોર્ટમાં હાજર થશે. આ સાથે જ ડેપ્યુટી સ્પીકર તરફથી વકીલ રવિશંકર જંધ્યાલા કેસ લડશે. જ્યારે દેવદત્ત કામત મહારાષ્ટ્ર સરકાર તરફથી દલીલો કરશે.
શિંદે જૂથનો દાવો હજુ બે ધારાસભ્યો આવશે
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે જણાવ્યું હતું કે એકથી બે ધારાસભ્યો અમારી સાથે આવશે. તેમના સમર્થન અને અન્ય અપક્ષ ઉમેદવારોના સમર્થનથી અમારી સંખ્યા વધીને 51 થઈ જશે. અમે 3-4 દિવસની અંદર કોઈ નિર્ણય પર પહોંચીશું અને પછી મહારાષ્ટ્ર પાછા જઈશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિંદે છાવણીના વિધાનસભ્યો ગમે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરવા તૈયાર છે, પરંતુ એકનાથ શિંદે જૂથને પ્રાધાન્ય આપવું જોઈએ. અમે એમવીએ સરકાર સાથે જઈશું નહીં.