મહારાષ્ટ્રમાં ધારાસભ્યોના બળવા બાદ સત્તા પરિવર્તન થયું અને એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા, જો કે આટલેથી જ ઉદ્ધવ ઠાકરેને હજૂ રાહત મળવાની નથી, ધારાસભ્યો બાદ હવે સાંસદો પણ એકનાથ શિંદે સંગાથ જવાની તૈયારીમાં છે.
એકનાથ શિંદે વધુ એક ખેલ પાડ્યો
ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
19માંથી 18 સાંસદોનું સમર્થન હોવાનો કર્યો દાવો
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નવો દાવ ખેલ્યો છે.શિંદેએ શિવસેના પર દાવો ઠોકતા 12 સાંસદોની પરેડ લોકસભા સ્પિકર પાસે કરાવી છે. શિંદેએ દાવો કર્યો છે કે, શિવસેનાના 19માં 18 સાંસદોનું સમર્થન તેમની પાસે છે.
આ બાજૂ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેએ બેઠક બોલાવી છે. આ મીટિંગમાં પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓેને બોલાવામાં આવ્યા છે. સાથે જ મહાનગરપાલિકા અધ્યક્ષોને પણ આ મીટિંગમાં સામેલ રહેવાના નિર્દેશ આપવામા આવ્યા છે. ધારાસભ્યોના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ 29 જૂનના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતુ.
12 સાંસદોને આપવામાં આવી છે વાય પ્લસ સુરક્ષા
શિવસેનાના 12 સાંસદોને કેન્દ્ર સરકાર તરફથી વાય પ્લસની સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 19માંથી 12 સાંસદ અલગ જૂથનો દાવો લોકસભામાં રજૂ કરી શકે છે. આ સાંસદ મંગળવારે પ્રધાનમંત્રી મોદીને પણ મળી શકે છે.