હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં મોડી રાતે થયેલા રોડ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.
શિમલા જિલ્લામાં રોડ અકસ્માતમાં બે લોકોના મોત
ઠિયોગથી 10 કિમી આગળ સંઘૂમાં એક કાર ઉંડી ખીણમાં પડી ગઈ
રોનકાલી મંદિરની પાસે ચાલકે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું
શિમલા જિલ્લામાં રોડ અકસ્માતમાં બે લોકોના મોત
હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં રોડ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. મોડી રાતે આ ઘટના બની છે. ઘટનામાં કાર સવાર બન્ને લોકોના જીવ ગયા છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
ઠિયોગથી 10 કિમી આગળ સંઘૂમાં એક કાર ઉંડી ખીણમાં પડી ગઈ
જાણકારી અનુસાર ઠિયોગ સ્ટેશનમાં આ ઘટના બની. ઠિયોગથી 10 કિમી આગળ સંઘૂમાં એક કાર ઉંડી ખીણમાં પડી ગઈ છે. કારમાં 2 લોકો સવાર હતા. મૃતકોની ઓળખ સંધૂના નિવાસી અનિલ (30) અને કુમારસેનના નિવાસી દેવેન્દ્ર (53) તરીકે થઈ છે. ડીએસપી ઠિયોગ લખબીર સિંહે ઘટનાની ખરાઈ કરી છે.
મોડી રાતે બની હતી ઘટના
ઘટના મોડી રાતે એક વાગે બની લગભગ સંધૂમાં રોનકાલી મંદિરની પાસે બની. કારમાં 2 વ્યક્તિ સવાર હતા. મનાઈ રહ્યું છે કે રોનકાલી મંદિરની પાસે ચાલકે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું અને ગાડી લગભગ 400 મીટર ઉંડી ખીણમાં પડી હતી. ઘટનામાં કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. ઘટનાના સમચાર મળતા જ ઠિયોગ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જોયું તો બન્ને કાર સવારના સ્થળ પર મોત થયા હતા. પોલીસે લાશને કબ્જામાં લઈને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે. હાલમાં પોલીસે ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.