શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રાએ શર્લિન ચોપરા સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. આ સાથે શિલ્પા અને રાજે શર્લિન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને બનાવટી અને ખોટા ગણાવ્યા છે.
શિલ્પા અને રાજે શર્લિન ચોપરા વિરૂદ્ધ લીધું એક્શન
તાજેતરમાં શર્લિને રાજ અને શિલ્પા વિરૂદ્ધ કેસ કર્યો હતો.
શિલ્પા અને રાજના વકીલે શર્લિન સામે 50 કરોડના માનહાનિનો કેસ કર્યો
શર્લિન ચોપરાએ તાજેતરમાં રાજ અને શિલ્પા શેટ્ટી વિરૂદ્ધ કેસ કર્યો હતો.
બોલીવૂડ અભિનેત્રી શર્લિન ચોપરાએ તાજેતરમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સામે જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો. અને તેમના પર છેતરપિંડીનો આરોપ પણ હતો. હવે આ મામલે શિલ્પા અને રાજ તરફથી પ્રતિક્રિયા આવી છે. દંપતીએ હવે શર્લિન ચોપરા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. શિલ્પા અને રાજે શર્લિન સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ સાથે દંપતીએ શર્લિન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને બનાવટી અને ખોટા ગણાવ્યા છે.
શિલ્પા અને રાજે શર્લિન ચોપરા વિરૂદ્ધ લીધું એક્શન
થોડા દિવસો પહેલા શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી પર શારીરિક અને માનસિર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો અને મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી. હવે શિલ્પા અને રાજના વકીલે શર્લિન સામે 50 કરોડના માનહાનિનો કેસ કર્યો છે. સત્તાવાર નિવેદન જાહેર કરતી વખતે, દંપતીના વકીલે કહ્યું કે શર્લિન ચોપરા દ્વારા શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પર લગાવવામાં આવેલા તમામ આરોપો સ્પર્શી, બનાવટી અને પાયાવિહોણા છે. આનો પણ કોઈ પુરાવો નથી.
રાજ કુંન્દ્રા પર શર્લિન ચોપરાએ લગાવ્યા હતાં આરોપ
આ પહેલા શર્લિન ચોપરાએ પોર્ન રેકેટ કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ નિવેદન નોંધ્યું હતું. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે મોબાઇલ એપ હોટશોટ્સ માટે શૂટ કરવા માટે રાજ કુન્દ્રા અને ક્રિએટિવ ડિરેક્ટર તેમની પાછળ પડી ગયાં હતાં. શર્લિનએ વિગતોનું નિવેદન બહાર પાડ્યું હતું જે આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે દાખલ કરેલી ચાર્જશીટનો મહત્વનો ભાગ હતો.
પોર્ન રેકેટમાં રાજ કુન્દ્રા 2 મહિના જેલમાં રહ્યા
બીજી બાજુ, રાજ કુન્દ્રાની વાત કરીએ તો તેને પોર્નોગ્રાફી કેસમાં સંપૂર્ણ 2 મહિના જેલમાં વિતાવવા પડ્યા હતા. 21 સપ્ટેમ્બર, 2021 ના રોજ જેલમાંથી બહાર આવ્યો હતો. રાજ પોર્નોગ્રાફી કેસમાં ફસાયા બાદ તેમની પત્ની શિલ્પા શેટ્ટીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રીએ થોડા સમય માટે કામમાંથી બ્રેક પણ લીધો હતો. પરંતુ તેણી શાંત રહી અને તેના અંગત-વ્યાવસાયિક ધોરણે તાલમેલ બેસાડવામાં સફળ રહી છે