ભારતીય બેટ્સમેન શિખર ધવન વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પફોર્મન્સ બાદ ઇંગ્લેન્ડ ટી 20 સીરીઝ માટે તૈયાર છે.
શિખર ધવન નહી હોય ઓપનર
રોહીત શર્મા સાથે નહી ઉતરે ધવન
લક્ષ્મણે આપી બીજા ખેલાડીને ઉતારવાની સલાહ
ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન શિખર ધવન વન ડે અને ટી 20 ફોર્મેટમાં સૌથી વધારે સ્થાપિત ઓપનર છે. જો કે ધવન પોતાના સાથી ક્રિકેટર રોહીત શર્મા સાથે ભારતીય ઇનીંગ રમવા તૈયાર થશે પરંતુ પૂર્વ ભારતીય ક્રેકિટર વીવીએસ લક્ષ્મણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓપનીંગ માટે બીજા એક ખેલાડીની ભલામણ કરી છે. શિખર સાથે કેએલ રાહુલ ઓપનર હશે.
VVS Laxmanએ કે એલ રાહુલનો સપોર્ટ કરતા રોહિત શર્મા સાથે ઇંગ્લેન્ડ વિરુદ્ઘ 5 મૅચની ટી20 સીરીઝમાં ઓપનીંગ કરાવાની વાત કરી છે. ટીમ ઇન્ડિયા ઓપનીંગ બેટ્સમેનના સિલેક્શનને લઇને દુવિધામાં છે. ટીમ ઇન્ડિયાએ ટી 20 ટીમમાં 19 ખેલાડીઓને જગ્યા આપી છે. દરેક જગ્યા માટે ટીમ પાસે 2-2 ખેલાડીઓ છે. શુક્રવારથી અમદાવાદમાં શરૂ થનાર પાંચ ટી20 મૅચ માટે પ્લેઇંગ ઇલેવન સિલેક્શનનો સંકેત હશે કે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, વિરાટ કોહલી અને બોલિંગ કોચ ભરત અરુણ નાના ફોર્મેટાં 6-7 મહિના માટે આ પ્રકારના વિચારમાં સાથે રહેશે.
આવામાં લક્ષ્મણે એક શોમાં ઓપનીંગ જોડીને લઇને વાત કરી. શિખરના શાનદાર પફોર્મન્સ બાદ લક્ષ્મણે કહ્યું કે તે શાનદાર બેટ્સમેન છે પરંતુ સિલેક્શનની વાત આવશે ત્યારે મુશ્કેલી થવાની છે. શિખર સાથે કોણ ઓપનીંગ કરશે તે સવાલ છે.
લક્ષ્મણે કહ્યું કે, હું કેએલ રાહુલ સાથે જવાનુ પસંદ કરીશ કારણકે છેલ્લા કેટલાક મહિનાઓ અને વર્ષોમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં કેએલ રાહુલ સાથે ગયો છે અને તેણે દરેક સ્થાન પર સારુ પફોર્મ પણ કર્યુ છે. વિરાટની ટીમ સૌ થી બહુમુખી બેટ્સમેનની ટીમ છે.
કેએલ રાહુલે ટી20 ક્રિકેટમાં પફોર્મન્સની વાત કરીએ તો આ આક્રમક બેટ્સમેને હાલમાં જ આઇસીસી ટી 20 ઇન્ટરનેશનલ રેંકિંગમાં બીજુ સ્થાન હાંસલ કર્યુ છે.