ભારતીય ટીમના બેટ્સમેન શિખર ધવન અત્યારે પોતાના પરિવારની સાથે સમય ગાળી રહ્યાં છે. બીજી તરફ તેમની ટીમ દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2021ની બીજી સિઝન માટે યુએઈ પહોંચી ગઈ છે. પરંતુ શિખર ધવન અત્યારે માતા રાનીના દર્શન કરી રહ્યાં છે.
ભારતીય ટીમના બેટ્સમેન શિખર ધવને માતા વૈષ્ણો દેવીના કર્યા દર્શન
જમ્મુમાં વૈષ્ણો દેવીની પગપાળા યાત્રા કરી પૂર્ણ: શિખર ધવન
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસ્વીરો પર પિતા માટે ખાસ મેસેજ
શિખર ધવને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીરો
હાલમાં તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની અમુક તસ્વીરો શેર કરી છે અને શિખર ધવને પોતાના પ્રશંસકોને જણાવ્યું કે, તેમણે જમ્મુમાં વૈષ્ણો દેવીની પગપાળા યાત્રા પૂર્ણ કરી છે. તસ્વીરો શેર કરી તેમણે પોતાના પિતા માટે એક ખાસ મેસેજ પણ લખ્યો છે.
આઈપીએલ 2021ની બીજી સિઝન માટે યુએઈની યાત્રા કરતા પહેલા શિખર ધવને પરિવારના સભ્યોની સાથે થોડો સમય વિતાવ્યો. તેમણે વૈષ્ણો દેવી મંદિરમાં માતાજીના દર્શન કર્યા. ગુરૂવારે તેમણે વૈષ્ણો દેવી યાત્રાની અમુક તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં શિખર માતા વૈષ્ણો દેવીની પગપાળા યાત્રા કરી રહ્યાં છે. તેમની આ તસ્વીરોને આશરે 6 લાખ લોકોએ લાઈક કરી છે અને પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ સહિત ઘણાં લોકો 'જય માતાજી'ની કોમેન્ટ કરી રહ્યાં છે.
શિખર ધવને લખ્યું કે, વૈષ્ણો દેવીની પગપાળા યાત્રા ખૂબ જ આધ્યાત્મિક રહીં. બાળપણના દિવસો યાદ આવી ગયા. જ્યારે મારા પિતા મને અહીં લઈને આવી રહ્યાં હતા. પણ આ વખતે મારા પિતાને વૈષ્ણો દેવીના દર્શન કરાવીને મને સારી અનુભૂતિ પ્રાપ્ત થઈ. બાળપણની જેમ રસ્તામાં શેરડીના રસ અને મેગીની મજા પણ માણી. જૂની યાદો વાગોળી. ખૂબ સારો અનુભવ રહ્યો અને યાત્રા ખાસ બની ગઈ.
ધવને માતા વૈષ્ણો દેવીના દરબારમાં જોઈને તેમના પ્રશંસકો તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. તેમના આવવાની સુચના મળ્યાં બાદ ધવનને મળવા માટે ઘણાં લોકો હોટલની બહાર પણ આવ્યાં હતા. ત્યારબાદ તેમની સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું. વૈષ્ણો દેવી ધામમાં શ્રાઈન બોર્ડના પદાધિકારીઓએ પણ શિખર ધવનની સાથે મુલાકાત કરી.