સમસ્યા એ છે કે ધવનને ડાબા હાથના અંગૂઠામાં ઇજા થઇ છે, જે બેટિંગનો મુખ્ય હાથ હોય છે. સમગ્ર તાકાત એ જ હાથમાં હોય છે. બેટના હેન્ડલને ગ્રિપ કરવા માટે અંગૂઠાનું દુરુસ્ત હોવું ખૂબ જ જરૂરી છે.
ટીમ ઇન્ડિયા અને કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓને ચિંતામાં મૂકી દે એવી માહિતી મળી છે. વાત એ છે કે શિખર ધવન વર્લ્ડકપમાં 13 જૂને રમાવામાં આવનારી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ રમી શકે નહીં. તમે લોકો એવું તો જાણો છો કે શિખર ધવન ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ મેચમાં બેટિંગ કરતાં ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ બાદ બીજી ઇનિંન્ગમાં એને બિલકુલ ફિલ્ડીંગ પણ કરી નથી. કારણ એ છે કે ધવનને થયેલી ઇજા કેટલી ગંભીર અને કેવી સ્થિતિ છે એ સ્પષ્ટ નથી. એટલા માટે ટીમ મેનેજમેન્ટ એની ઇજાને લઇને ચિંતામાં છે અને એની ઇજાને કારણે આ નિર્ણય લીધો છે.
જો કે ટીમના મેડિકલ સ્ટાફે પોતાની તરફથી ઉપચાર કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. પરંતુ હવે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે મંગળવારે ધવનના અંગૂઠામાં આવેલા સોજા માટે તરત મંગળવારે સ્કેન કરવામાં આવશે.
રવિવારે ઓસ્ટ્રેલિયાઇની વિરુદ્ધ વર્લ્ડકપ મેચમાં ભારતની જીતના હીરો ધવનને ફાસ્ટ બોલર નાથનુ કોલ્ટર નાઇલનો બોલ વાગ્યો હતો પરંતુ દુખાવો થવા છતાં એ રમી રહ્યો હતો. ખૂબ જ દુખાવો થવા છતાં ધવને 109 બોલમાં 117 રનની ઇનિંન્ગ રમી. જાણવા મળ્યું છે કે ધવનના સ્કેન બાદ ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ ગુરુવારે ટ્રેન્ટબ્રિજમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રમવા પર નિર્ણય કરશે.
ભારતીય ટીમ મેનેજમેન્ટ હવે એવી પ્રાર્થના કરી રહ્યું છે કે ધવનનો એક્સ રે નો રિપોર્ટ સારો આવે. પરંતુ જો મામલો ઊંધો થયો તો ધવન ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ મેચ નહીં રમી શકે.