યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભપંતને પહેલા જ ધવનનું કવર કરવા માટે ઇંગ્લેન્ડ મોકલી દેવાયો હતો. તે માન્ચેસ્ટર પહોંચ્યો હતો અને પાકિસ્તાન વિરૂદ્ધ મેચ પહેલા જ ટીમની સાથે જોડાઇ ગયો હતો. ભારતીય સલામી બેટ્સમેન શિખર ધવન વર્લ્ડકપ 2019થી બહાર થઇ ગયો છે કેમ કે તે ટુર્નામેન્ટનાં બાકી બચેલા સમયમાં ફીટ નહીં થઇ શકે.
શિખર ધવન વર્લ્ડ કપથી બહાર થઇ ગયો છે. શિખર ધવનની જગ્યાએ હવે ઋષભ પંત ભારતની વર્લ્ડ કપ ટીમમાં શામેલ થઇ ગયો છે. ધવનને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ દરમ્યાન પૈટ કમિંસનાં બોલ પર ડાબા હાથનાં અંગુઠામાં ઇજા લાગી ગઇ હતી. તેઓએ આ દરમ્યાન 109 બોલ પર 117 રનોની ઇનિંગ રમી હતી. જો કે, એક્સ રેમાં ફ્રેક્ચર ન હોતુ આવ્યું પરંતુ સીટી સ્કેનથી એ સ્પષ્ટ થઇ ગયું હતું કે, ધવનને હેરલાઇન ફ્રેક્ચર છે.
યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભપંતને પહેલા જ ધવનનું કવર કરવા માટે ઇંગ્લેન્ડ મોકલી દેવાયો હતો. તે માન્ચેસ્ટર પહોંચ્યો હતો અને પાકિસ્તાન વિરૂદ્ધ મેચ પહેલા જ ટીમની સાથે જોડાઇ ગયો હતો. ભારતીય સલામી બેટ્સમેન શિખર ધવન વર્લ્ડકપ 2019થી બહાર થઇ ગયો છે કેમ કે તે ટુર્નામેન્ટનાં બાકી બચેલા સમયમાં ફીટ નહીં થઇ શકે. ધવન હવે અંગુઠામાં ઇજાને કારણ લગભગ બે સપ્તાહથી ટુર્નામેન્ટથી બહાર છે પરંતુ તે હજી સુધી સંપૂર્ણ રીતે ફીટ નથી થઇ શક્યો.
શિખર ધવન વર્લ્ડ કપમાં હજી આગળ ભાગ લેવાની સ્થિતિમાં નથી. આ પહેલા ભારતનાં સહાયક કોચ સંજય બાંગડે કહ્યું હતું કે, ટીમ પ્રબંધન શિખર ધવનને વર્લ્ડ કપથી બહાર ન હોતા કરવા ઇચ્છતા અને તે તેની રિકવરી પર નજર રાખવા ઇચ્છે છે.
આ વર્લ્ડ કપની પહેલી મેચમાં ધવને દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ માત્ર આઠ રન બનાવ્યા હતાં, પરંતુ ત્યાર બાદ આગામી જ મેચમાં તે પરત ફર્યો ને સેન્ચ્યુરી કરી. ધવનનું બહાર થવું એ ટીમ ઇન્ડીયા માટે એક મોટો ઝટકો છે. ધવનની ગેરહાજરીમાં પાકિસ્તાન વિરૂદ્ધ લોકેશ રાહુલે રોહિત શર્મા સાથે જબરદસ્ત ઇનિંગની શરૂઆત કરી હતી અને અડધી સદી ફટકારી હતી. ત્યારે તમને જણાવી દઇએ કે શિખર ધવનની જગ્યાએ પાકિસ્તાન વિરૂદ્ધ ભારતીય ટીમમાં વિજય શંકરને શામેલ કરવામાં આવ્યો હતો.