ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ટી20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનાર શિખર ધવન ભારતની ટેસ્ટ સીરિઝથી બહાર છે. એને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 ટેસ્ટ મેચોની સીરિઝ માટે ટીમ ઇન્ડિયાના સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો નથી. ધવને ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ પહેલી વખત પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. ધવનનું કહેવું છે કે ટેસ્ટ ટીમમાં સામેલ ન કરવામાં આવતા એ નારાજ થયો હતો પરંતુ હવે એ આગળનું વિચારી રહ્યો છે.
ધવને કહ્યું 'ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ટેસ્ટ ટીમમાં સામેન ના કર્યો એના માટે ખૂબ દુખી થયો હતો. હવે હું એનાથી આગળ વધી ગયો છું અને સકારાત્મક છું. ટેસ્ટ ટીમથી દૂર છું ત્યાં સુધી પ્રશિક્ષણને સમય આપીશ અને વધારે ફીટ બનીશ.' તમને જણાવી દઇએ કે ધવને ભલે લિમિટેડ ઓવર ફોર્મેટચમાં સારું પ્રદર્શન કર્યું છે પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં એ પોતાનું ફોર્મ યથાવત રાખી શક્યો નહીં જેના કારણે એને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
ધવને છેલ્લા એક વર્ષમાં 6 ટેસ્ટની 11 ઇનિંન્ગમાં માત્ર 27.36 સરેરાશથી 301 રન જ બનાવ્યા છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ધવને 4 ટેસ્ટ મેચોમાં 20.25ની સરેરાશથી 162 રન જ બનાવ્યા હતા. સાઉથ આફ્રિકામાં ધવનને એક ટેસ્ટમાં જ તક મળી હતી જેમાં એને કુલ 32 રન બનાવ્યા.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેસ્ટ સીરિઝમાં ભારતની જીતની શક્યતાઓ પર ધવને કહ્યું 'મને લાગે છે કે ભારતની પાસે આ સીરિઝને જીતવાની ખૂબ જ સારી તક છે. ભારતના 3 ક્ષેત્રો બેટિંગ બોલિંગ અને ફીલ્ડિંગમાં સારું પ્રદર્શન કરવું પડશે.'
આવતા વર્ષે થનાર વનડે વિશ્વ કપ માટે પોતાની યોજનાઓ પર ધવને કહ્યું 'હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઇચ્છું છું. એક ટીમ તરીકે અમે નિશ્વિત રીતે વિશ્વકપ જીતવા ઇચ્છીશું. હું ભારતને સારી શરૂઆત આપવાનો પ્રયત્ન કરીશ '