શિખર ધવનના છૂટાછેડા લેવાના સમાચાર આવ્યા છે. તેની પત્ની આયેશા મુખર્જીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સ્ટાર ક્રિકેટર શિખર ધવને લીધા ડિવોર્સ
પત્નીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી આપી માહિતી
સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ પોસ્ટ
આયેશા મુખર્જીએ એક ભાવનાત્મક પોસ્ટ લખી છે અને છૂટાછેડાને લગતી વસ્તુઓ લખી છે. શિખર ધવન અને આયેશા મુખર્જીના લગ્નને નવ વર્ષ થયા હતા. 2012 માં બંનેએ લગ્ન કર્યા. ધવન અને આયેશાને ઝોરાવર નામનો પુત્ર પણ છે.
આયેશા સાથે લગ્ન વખતે જ ઊભા થયા હતા સવાલો
આયેશા શિખર કરતા 10 વર્ષ મોટી છે. તેના પહેલા લગ્નથી તેને બે પુત્રીઓ છે. જ્યારે ધવન અને આયેશાના લગ્ન થયા ત્યારે ઘણા સવાલો ઉભા થયા હતા. પરંતુ ધવનની માતાએ તેને સપોર્ટ આપ્યો હતો. ત્યારબાદ 2014 માં આયેશાએ ધવનના પુત્ર જોરાવરને જન્મ આપ્યો.
આયેશાએ બીજી વાર લીધા છૂટાછેડા
આયેશાએ ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડા વિશે લખ્યું, "એકવાર છૂટાછેડા લીધા પછી, એવું લાગતું હતું કે બીજી વખત ઘણું બધું દાવ પર છે. મારે ઘણું સાબિત કરવાનું હતું. એટલે જ જ્યારે મારા બીજા લગ્ન તૂટ્યાં તો ઘણું ડરામણું હતું.