ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ખૂબ નિરાશાજનક રીતે પૂરો થયો છે. ટીમ ઈન્ડિયા હવે સાઉથ આફ્રિકા સામે વન ડે સીરીઝ રમશે. બંને દેશ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરીઝ રમશે. આ સીરીઝમાં ત્રણ ખેલાડીઓ પર ખાસ નજર રહેશે જે લાંબા સમયથી ટીમથી બહાર ચાલી રહ્યા છે.
સાઉથ આફ્રિકા સામે થશે વન ડે સીરીઝ
હાર્દિક પંડ્યા, શિખર ધવન અને ભુવનેશ્વર કુમાર પર બધાની નજર
ડીવાય પટેલ ટી20 ટૂર્નામેન્ટમાં ત્રણેયની ફિટનેસ પર સિલેક્ટર્સની દેખરેખ
ટીમ ઈન્ડિયામાં સિલેક્ટર સમિતિમાં ફેરફાર થવાના છે. હાલ એમએસકે પ્રસાદ મુખ્ય સિલેકટર છે જે આ બધા ખેલાડીઓ પર દેખરેખ રાખી રહ્યા છે. હવે જોવાનું એ થાય છે કે શું એમએસકે પ્રસાદ જ ટીમમાં ખેલાડીઓની પસંદગી કરે છે કે કોઈ નવા સિલેક્ટરને આ જવાબદારી સોંપવામાં આવે છે.
હાલ એમએસકે પ્રસાદ ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓની ફિટનેસ પર નજર રાખી રહ્યા છે. મુંબઈમાં ડીવાય પાટીલ ટી20 ટૂર્નામેન્ટમાં શિખર ધવન, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારે ભાગ લીધો હતો. આ બધા ખેલાડીઓની ફિટનેસ જોઇને પ્રસાદે કહ્યું કે ત્રણેય ખેલાડીઓની વાપસીથી તે ખૂબ ખુશ છે. હાર્દિક પંડ્યાએ હાલમાં જ લોઅર બેક સર્જરી કરાવી છે જયારે શિખર ધવનને ખભામાં ઈજા પહોંચી હતી. ભુવનેશ્વર કુમારે લંડનમાં સ્પોર્ટસ હર્નિયા સર્જરી કરાવી હતી.
નોંધનીય છે કે આ ત્રણેય ખેલાડી ઈજાના ટીમથી બહાર હતા પરંતુ આ ટૂર્નામેન્ટમાં ખૂબ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે સાઉથ આફ્રિકા સામેની વન ડેમાં આ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવે છે કે નહીં.