સાઉથ આફ્રિકા સામેની પહેલી વન-ડેમાં 9 રનથી હારનો સામનો કરવો પડ્યો. આફ્રિકા સામે આયોજીત વન-ડે સીરીઝમાં ભારતીય ટીમનુ સુકાન શિખર ધવનના હાથમાં સોંપાયુ છે. તેમની કેપ્ટનશિપમાં ટીમને સીરિઝની પહેલી મેચ ગુમાવવી પડી.
સાઉથ આફ્રિકા સામેની પહેલી વન-ડેમાં ભારતીય ટીમનો પરાજય
ભારતીય ટીમની હાર બાદ શિખર ધવનનુ નિવેદન
ટીમની ફીલ્ડિંગ ખૂબ કંગાળ રહી છે, બોલરોનો શરમજનક દેખાવ
ભારતીય ટીમની હાર માટે શિખર ધવને ખેલાડીઓને ઠેરવ્યાં જવાબદાર
પહેલા બેટીંગ કરીને મહેમાન ટીમે 259 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે, જેને યજમાન ટીમ પ્રાપ્ત ના કરી શકી. આવો જાણીએ કે આ પરાજય બાદ કેપ્ટન શિખરનુ શુ કહેવુ છે. સાઉથ આફ્રિકા સામે મળેલી હાર બાદ શિખર ધવને કહ્યું કે ટીમની ફીલ્ડિંગ ખૂબ ખરાબ રહી છે. આ સાથે બોલરોએ પણ ખૂબ રન આપ્યાં છે. કેેપ્ટને કહ્યું, જે રીતે ખેલાડીઓેએ રમત બતાવી છે. તે ખરેખર વખાણવાલાયક છે. શ્રેયસ, સેમસન અને શાર્દૂલ ખાસ કરીને શ્રેષ્ઠ હતા. જો કે, અમને લાગે છે કે અમે 250 રન બનવા દીધા. જે વધુ હતા. કારણકે પિચ પર બોલ ફરી રહ્યો હતો. ફીલ્ડિંગમાં પણ અમે રન આપ્યાં અને કેચ છોડ્યા. જો કે, આ યુવા ખેલાડીઓ માટે એક સારો અનુભવ અને શીખ રહીં.
સાઉથ આફ્રિકા સામે શિખર ધવનનુ ફ્લોપ પ્રદર્શન
ભારતીય ટીમની સામે સાઉથ આફ્રિકાએ પહેલા બેટીંગ કરીને 4 વિકેટના નુકસાને 40 ઓવરમાં 250 રનનો લક્ષ્ય નિર્ધારિત કર્યો. જવાબમાં ભારતની શરૂઆત કોઈ ખાસ ના રહી. ભારતીય ટીમના બેટર શિખર ધવનની બેટીંગ શાંત દેખાઈ. ટીમ માટે ઈનિંગની શરૂઆત કરવા માટે ધવને ટીમ માટે 16 બોલમાં સરેરાશ 4 રનની ઈનિંગ રમી.
સંજુ સેમસનની ધમાકેદાર ઈનિંગ
આ દરમ્યાન તેનો સ્ટ્રાઈક રેટ 25નો રહ્યો. જ્યાં ટીમના કેપ્ટન સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયા. તો બેટર સંજૂ સેમસને ભારત તરફથી સારી બેટીંગ કરી. તેમણે ટીમ માટે 63 બોલમાં 86 રનની ધમાકેદાર ઈનિંગ રમી. જો કે, તેમની આ ઈનિંગ ભારતીય ટીમને જીતની દિશા તરફ ના લઇ જઇ શકી અને ટીમે 9 રનથી હારનો સામનો કરવો પડ્યો.