આર્કિટેક કંપનીએ સૂચન આપ્યું છે કે પ્રધાનમંત્રીના ઘરને 10 લોકકલ્યાણ માર્ગથી રાયસીના હિલ્સની નજીક શિફ્ટ કરવામાં આવે. જો કે અધિકારીઓનું કહેવું છે કે કોઇ પણ નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને જ કરવો જોઇએ.
એચસીપીએ પ્રધાનમંત્રી ઘરને લોક કલ્યાણ માર્ગથી રાઇસીના હિલ્સના દક્ષિણમાં શિફ્ટ કરવાની સલાહ આપી છે
એચસીપીએ ભલામણ કરી છે કે હાલના સંસદ ભવનને ભારતીય લોકતંત્રનો સંગ્રહાલય બનાવવામાં આવી શકે છે
તો બીજી બાજુ નૉર્થ અને સાઉથ બ્લોકને ક્રમશ: 'ઇન્ડિયા એટ 75' અને 'ધ મેકિંગ ઑફ ઇન્ડિયા' બનાવી શકાય છે
નવી દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટા (રાજપથ)ને ડિઝાઇન કરવા માટે પસંદ કરવામાં આવેલી આર્કિટેક ફર્મે પ્રધાનમંત્રી આવાસને 7 લોક કલ્યાણથી રાયસીના હિલ્સ (રાષ્ટ્રપતિ ભવન)ના દક્ષિણમાં ડલહૌજી રોડ હટમેન્ટ્સ પર શિફ્ટ કરવાની સલાહ આપી છે.
જો કે અધિકારીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે તમામ પહેલુઓ, જેમા પીએમ હાઉસ અને પ્રધાનમંત્રી કાર્યાલયને શિફ્ટ કરવાનું પણ સામેલ છે, પરંતુ ખૂબ સમજી-વિચારીને નિર્ણય કરવામાં આવે.
આ આર્કિટેક્ટ ફર્મ અમદાવાદની છે. આર્કિટેક્ચર એન્ડ અર્બન ડિઝાઇનની આ કંપનીએ સેન્ટ્રલ દિલ્હીમાં ફેરફાર કરવાની અનેક ભલામણો કરી છે. કંપની તરફથી સંસદ ભવન અને કેન્દ્રીય સચિવાલયને પણ બદલવાની ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના અઢી કિલોમીટર લાંબા રાજપથને પણ નવેસરથી ડિઝાઇન તૈયાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. શહેરી વિકાસ મંત્રાલયના એક અધિકારી મુજબ ડિઝાઇન, આર્કિટેક્ચરથી જોડાયેલા પ્રસ્તાવો, ખાસ કરીને સંસદ ભવનનું નવું બિલ્ડિંગ અને ઑફિસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર અંતિમ નિર્ણય પહેલા સરકાર, લોકસભા અધ્યક્ષ અને અન્ય મોટા પદાધિકારીઓ સાથે મંત્રણા-સૂચન લીધા બાદ લેવાામાં આવશે.
સરકારે આ સમગ્ર નિર્ણય પર લગભગ 10 હજાર કરોડ રૂપિયાન ખર્ચનો અંદાજ લગાવ્યો છે. તેને પૂરું કરવા માટે માર્ચ 2024ની ડેડલાઇન રાખવામાં આવી છે. એટલે કે આગામી લોકસભા ચૂંટણીથી માત્ર બે મહિના પહેલા પૂરું કરવાનું લક્ષ્ય છે.