વાવાઝોડાને કારણે અનેક વીજપોલ તુટી ગયા છે. મકાનોની છતને નુકસાન થયું છે. અત્યાર સુધી 5 લોકોના જીવ પણ લઈ લીધા છે. આ તૌકતે વાવાઝોડું પોતાની સાથે ભારે વરસાદ પણ લઈને આવ્યું હોવાથી સૌરાષ્ટ્રની નાની મોટી નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે.
તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં રીતસર કહેર મચાવ્યો છે. ગુજરાતીઓના ધાર્યા કરતા પણ વધારે ભયાવહ રીતે વાવાઝોડું ત્રાટકતા અનેક જગ્યાએ હાહાકાર સર્જાયો છે. તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રને ખેદાન-મેદાન કરી નાખ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભયાનક હાની સર્જાઈ છે. દીવ અને મહુવા વચ્ચે લેન્ડફોલ થયા બાદ તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. દીવ, ઉના, મહુવા, રાજુલા અને અમરેલીમાં મોટાભાગના વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.
વાવાઝોડાને કારણે અનેક વીજપોલ તુટી ગયા છે. મકાનોની છતને નુકસાન થયું છે. અત્યાર સુધી 5 લોકોના જીવ પણ લઈ લીધા છે. આ તૌકતે વાવાઝોડું પોતાની સાથે ભારે વરસાદ પણ લઈને આવ્યું હોવાથી સૌરાષ્ટ્રની નાની મોટી નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે.
તૌકતે વાવાઝોડાને કારણે શેત્રુંજી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અમરેલીમાં આવેલી શેત્રુંજી નદીમાં મે મહિનામાં પ્રથમવાર ઘોડાપૂર આવ્યું છે. જેથી કેટલાક લોકો નદીમાં આવેલા પૂરને જોવા માટે પણ ઉમટ્યા હતા.