ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદથી રાજ્યના નદી-નાળા સહિત ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે ભાવનગરના શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક જોવા મળી છે. ત્યારે તંત્ર દ્વારા ડેમના 20 દરવાજા ખોલવામાં આવતાં નદીકાંઠા વિસ્તારના 17 ગામને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.
ભાવનગરના શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા
નદીકાંઠા વિસ્તારના 17 ગામને સાવચેત રહેવા સૂચના
કાંઠા વિસ્તારની આસપાસ ન જવા તંત્રની સૂચના
રાજ્યમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદના પગલે નદી-નાળા સહિત ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. રાજ્યના ઘણા ડેમ ઓવરફલો થવાના એલર્ટ સાથે તંત્ર દ્વારા સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.
ત્યારે ભાવનગર જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રાહતના સમાચાર આવ્યાં છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં સતત વધી રહેલી પાણીની આવકને ધ્યાનમાં લઇને ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યાં છે. જેને લઇને નદીકાંઠાના વિસ્તારના 17 ગામને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
નદી કાંઠા વિસ્તારમાં 17 ગામોને સાવચેત રહેવા સૂચન
તંત્ર દ્વારા શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીકાંઠા વિસ્તારના 17 ગામને સાવચેત રહેવા સુચન આપવામાં આવ્યું છે. જેમાં નાની રાજસ્થળી, લાપળિયા, લાખાવડ, માયધારને અલર્ટ રહેવા જણાવાયું છે.
જ્યારે મેંઢા, ભેગાળી, દાત્રડ, પિગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા સહિત ગામોને અલર્ટ રહેવા સુચન કરાયું છે. આ સાથે તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાન પણના રહેવાસીઓને પણ અલર્ટ રહેવા સુચન કરાયું છે.