સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સતત સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણાં સમયથી તમામ દિગ્ગજ નેતા અને અભિનેતા સુશાંત કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી ચૂક્યા છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ ગૃહ મંત્રી અમિત શાહને ટ્વિટ કરીને સીબીઆઈ તપાસ શરૂ કરવાની અપીલ કરી છે. રિયાએ ગૃહ મંત્રીએ વિનંતી કરીને કહ્યું કે, આ કેસમાં સીબીઆઈ તપાસ શરૂ કરાવો. હું બસ એટલું જાણવા માંગુ છું કે કયા દબાણને કારણે સુશાંતે આટલું મોટું પગલું ભરી લીધું.
સુશાંત કેસમાં રોજ નવી બાબતો સામે આવી રહી છે
સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયાએ સીબીઆઈ તપાસની કરી માંગ
તો શેખર કપૂરે આપી આવી પ્રતિક્રિયા
સુશાંત કેસમાં શેખર સુમન ઘણાં સમયથી સીબીઆઈ તપાસની અપીલ કરી રહ્યાં હતા. શેખર એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, આ સારી વાત છે કે હવે સુશાંતની નજીકના લોકો પણ ધીરે-ધીરે સામે આવી રહ્યાં છે. મને લાગે છે કે આનાથી આ કેસ ખૂબ જ સ્ટ્રોન્ગ બની શકે છે અને આપણે એ જ દિશામાં આગળ વધી શકીએ છીએ જેવું આપણે વિચારીએ છીએ.
શેખરે આગળ કહ્યું કે, તેઓ પોલીસની તપાસ પર કોઈ શંકા નથી કરી રહ્યાં પરંતુ આ કેસમાં જે બધું થયું છે, તેના હું કે માત્ર 2-3 લોકો જ નહીં પરંતુ લાખો લોકોના મગજમાં અનેક સવાલો ઊભા કરી દીધા છે. સુશાંતના લાખો ફેન્સ પણ આ મામલે સીબીઆઈ તપાસ કરાવવા માંગે છે જેથી આ કેસમાં ચાલી રહેલી તમામ પ્રકારની અફવાઓ પર વિરામ લાગી શકે.
તેમણે આગળ કહ્યું-લોકોના મનમાં શંકા છે અને કોઈની પાસે પાક્કાં પુરાવા નથી. જેથી આ કેસમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ. બની શકે કે હું અને લાખો લોકો ખોટાં હોઈએ. આ કેસ સુસાઈડ જેવો લાગે છે તો મર્ડર જેવો પણ લાગે છે. જેથી આપણે આ કેસના મૂળ સુધી પહોંચવું પડશે. તમને જણાવી દઈએ કે, સુશાંતે 14 જૂને તેના બાન્દ્રા સ્થિત ઘરે સુસાઈડ કરી લીધું હતું.