બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદથી જ બોલિવૂડ એક્ટર શેખર સુમન પણ સતત ચર્ચામાં છે. હાલમાં જ તેણે
#JusticeForSushantForum ટ્રેન્ડ પણ શરૂ કર્યું છે. જેથી ભારત સરકાર પર સીબીઆઈ તપાસ શરૂ કરે. શેખરનું માનવું છે કે, સુશાંતની મોત આત્મહત્યા નહીં પણ મર્ડર છે.
સુશાંતની મોત બાદ સેલેબ્સ તેના પરિવારને મળવા તેના ઘરે પહોંચી રહ્યાં છે
હવે એક્ટર શેખર સુમન પટના પહોંચ્યા
શેખરનું માનવું છે કે, સુશાંતની મોત આત્મહત્યા નહીં પણ મર્ડર છે
હાલમાં જ શેખર સુમન સુશાંતના પિતાથી મળવા પટના પહોંચ્યા હતા. તેના થોડા કલાક બાદ શેખરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સુશાંતના પિતા સાથેની મુલાકાતની તસવીરો અને વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં શેખર સુમન સુશાંતના પિતા કેકે સિંહની સામે બેઠેલા જોવા મળી રહ્યાં છે. શેખર સુશાંતના પરિવાર સાથે મુલાકાત વખતે ભાવુક જોવા મળ્યા હતા. આ દરમિયાન શેખર સુમનની સાથે સુશાંતનો નજીકનો મિત્ર અને ફિલ્મમેકર સંદીપ સિંહ અને પરિવારજનો પણ ત્યાં હાજર હતા.
શેખર અને સુશાંતના પિતાએ વાતચીત કરી નહીં પરંતુ સુશાંતના પિતાનું મૌન ઘણું બધું કહી રહ્યું હતું. શેખરે લખ્યું- અને સાંત્વના પાઠવી. અમે થોડીક ક્ષણો સાથે બેઠાં પરંતુ એક પણ શબ્દની આપલે થઈ નહોતી. તેઓ હજી પણ આઘાતમાં છે. મને લાગે છે કે મૌન રહીને સાંત્વના આપવી સૌથી સારો રસ્તો છે.
શેખરે એક વધુ વીડિયો શેર કર્યો જેમાં તેઓ સુશાંતના ઘરની બહાર મીડિયાના સવાલોના જવાબ આપતા જોવા મળી રહ્યાં છે. તેમણે કહ્યું જ્યાં સુધી આ કેસની તપાસ આગળ નહીં વધે અને નક્કર પરિણામ નહીં આવે ત્યાં સુધી તેઓ હાર નહીં માને.