સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં એક બાદ એક વળાંક આવતા જાય છે. ક્યારેક સીબીઆઇની માંગ કરતી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી મુંબઇ પોલિસ તપાસ કરે તેવુ નિવેદન આપે છે. તો બીજી તરફ સુશાંત ડિપ્રેશનમાં નહોતો તેની હત્યા કરવામાં આવી છે તેવુ બહાર આવે છે. ત્યારે હાલમાં શેખર સુમને રિયા ચક્રવર્તી પર સવાલ ઉઠાવ્યો છે.
રિયાની ઇન્કમ કરતા વધારે મોંઘો વકીલ
સુશાંતની આત્મહત્યા નહી હત્યા છે
શેખર સુમને ઉઠાવ્યા રિયા પર સવાલ
સુશાંતના મોત બાદ શેખર સુમને ઘણીવાર કહેવાનો પ્રયત્ન કર્યો હતો કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. શેખરે કહ્યું કે જો તમે કોઇને પ્રેમ કરો છો તો તેની મૃત્યુ બાદ તેના પરિવાર સાથે થોડો સમય વિતાવો છો પરંતુ રિયાએ તો યુ-ટર્ન લઇ લીધો હતો.
કેસ લડવા માટે રિયાએ ભારતનો સૌથી મોંઘો વકીલ હાયર કર્યો છે. જ્યારે તેની એન્યુઅલ ઇન્કમ તો માત્ર 14 લાખ રૂપિયા છે. આવામાં સવાલ એ ઉઠે છે કે આટલો મોંઘો વકીલ તે કેવી રીતે અફોર્ડ કરી શકી છે. કોણ તેને સ્પોન્સર કરી રહ્યું છે.
શેખરે સુશાંતની મોત પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સીબીઆઇ પોતાનુ કામ સક્ષમ રીતે કરશે અને સાચી તસવીર સામે આવશે. શેખર કોઇના પર આંગળી નથી ઉઠાવી રહ્યાં પરંતુ શંકાની સોય કેટલાક લોકો પર જઇ રહી છે.
લોકોએ અલગ અલગ નિવેદન આપ્યા છે અને સિદ્ધાર્થ પિઠાનીથી લઇને એમ્બ્યુલન્સ બોય સુધી એકબીજાના નિવેદન અલગ અલગ છે. માટે સુશાંતની આત્મહત્યા નહી પરંતુ હત્યા છે તેવી શંકા જાય છે.