દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત પોતાના અંતિમ શ્વાસ સુધી કોંગ્રેસની ચિંતા કરતા રહ્યા. તેમણે પોતોના આખરી સંદેશમાં દિલ્હી કોંગ્રેસી કાર્યકર્તાઓને કહ્યું કે, જો ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધી અને પ્રદેશ સરકારની વચ્ચે ગતિરોધ સમાપ્ત નથી થતો તો તેઓ ભાજપના કાર્યાલય બહાર જઇને પ્રદર્શન કરે.
આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં જમીન વિવાદમાં માર્યા ગયેલા 9 લોકોને પીડિતથી મળવા માટે પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. જો કે, ઉત્તર પ્રદેશના સ્થાનિક વહીવટી તંત્રએ મળતા અટકાવ્યા હતા અને અટકાયત કરતા પ્રિયંકા ગાંધી તેના વિરોધમાં ધરણા પર બેઠાં હતા.
81 વર્ષની ઉંમરે દેહાવસાન
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજનેતા શિલા દિક્ષીતનું 81 વર્ષની જૈફવયે નિધન થયું છે. શીલા દિક્ષીત છેલ્લા થોડા સમયથી માંદગી ભોગવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શીલા દિક્ષીત દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ સતત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી પદે રહ્યા હતા.
15 વર્ષ સુધી સતત મુખ્યમંત્રી પદે રહ્યા
શિલા દિક્ષીત 1998થી 2013 સુધી સતત 15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. ગાંધી પરિવાર સાથે ગાઢ સંબંધો ધરાવતા દિગ્ગજ કોંગ્રેસી નેતાઓમાં શિલા દિક્ષીતનું નામ સામેલ છે. 81 વર્ષની ઉંમરે પણ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પાર્ટીના સેવા કરી રહ્યા હતા.
દિગ્ગજ નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ
1998ની લોકસભા ચૂંટણીમાં શીલા દીક્ષિતે ભારતીય જનતા પાર્ટીના લાલ બિહારી તિવારીને પૂર્વ દિલ્હી ક્ષેત્રમાં માત આપી હતી અને ત્યારબાદ તેઓ દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી આરૂઢ થયાં હતા. દીક્ષિતના દેહાવસાનને પગલે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. દીક્ષિતના નિધનને પગલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાહુલ ગાંધી સહિતના તમામ નેતોઓએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.