શું તમે આજના યુગમાં પ્રધાનમંત્રી તો દુર પરતુ કોઇ સામાન્ય ધારાસભ્ચના ઘરમાં ઘૂસવાનું સાહસ કરી શકો ખરા..? શીલા દીક્ષિતે સ્વપ્નમાં પણ ક્યારે વિચાર્યું નહોંતું કે જે શખ્સે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું છે 32 વર્ષ બાદ તેઓની સાથે મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ સભ્ય બનશે અને કોંગ્રેસની રાજનીતિની મોટી નેતા સાબિત થશે.
જવાહર લાલ નહેરુંને મળવા પહોંચ્યા શીલા દીક્ષિત
ઉલ્લેખનીય છે કે, વાત તે સમયગાળાની છે જ્યારે દેવાનંદ ભારતીય કિશોરીઓના દિલ પર રાજ કરી રહ્યા હતા. પ્રથમ ફિઝી ડ્રીક્સ ગોલ્ડ સ્પોટ ભારતીય બજારમાં પ્રવેશી ચૂક્યા છે. ટેલીવિઝનની શરૂઆત થઇ નહોતી, રેડિયો ઉપર પણ કાર્યક્રમો ગણતરીના કલાકો આવતા હતા. એક દિવસ 15 વર્ષની બાળકી શિલા દીક્ષિતે નક્કી કર્યું કે તે પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુને મળવા તેમના નિવાસસ્થાન પર જશે.
તે ડૂપ્લે લેનના પોતાના નિવાસ સ્થાનથી નીકળી અને પગપાળા તીનમૂર્તિ ભવન પહોંચી. દરવાજા પર ઉભેલ એકમાત્ર દરવાને પૂછ્યું, તમે કોને મળવા ઇચ્છો છો, શીલાએ જવાબ આપ્યો તે પંડિતજીને મળવા માગે છે. પંડિતજી કારમાં સવાર થઇને ક્યાંક બહાર જઈ રહ્યા હતા.
અભ્યાસ દરમિયાન વિનોદ દીક્ષિત સાથે મુલાકાત
દિલ્હી વિશ્વવિદ્યાલયમાં પ્રાચીન ઇતિહાસના અભ્યાસ દરમિયાન તેણીની મુલાકાત દીક્ષિત સાથે થઇ જે તે સમયના કોંગ્રેસના નેતા ઉમાશંકર દીક્ષિતના પુત્ર હતા. શીલા યાદ કરે છે કે, અમે તે સમયે ઇતિહાસની એમ.એ ક્લાસમાં સાથે ભણી રહ્યા હતા. મને વધુ યાદ નથી પરંતુ ધીમે-ધીમે અમે એક બીજીની નજીક આવી ગયા.
બસમાં કર્યું લગ્નનું પ્રપોઝ
વિનોદ મોટાભાગે શીલાની સાથે બેસીને ફિરોજશાહ રોડ પર જતા હતા. જેથી તેમની સાથે વધુને વધુ સમય પસાર કરી શકીએ. શીલા સંસ્મરણો વાગોળતા કહે છે. અમે 10 નંબરની બસમાં બેઠા હતા અને અચાનક ચાંદની ચોકમાં વિનોદે સામે આવીને મન કહ્યું હું મારી માતાને કહેવા જઇ રહ્યો છું કે મને તે છોકરી મળી ગઇ છે જેની સાથે મારે લગ્ન કરવા છે અને તેણી મારી બાજુમાં બેઠી છે.