દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું 81 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે. તે ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. લોકસભામાં ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધી નિરાશથી ખુદને ઘરમાં કેદ કરી લીધા હતા, ત્યારે શીલા દીક્ષિતે તેમને પોતાનો સંદેશ મોકલ્યો હતો.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ જ્યારે રાહુલ ગાંધી નિરાશ થઇને ખુદને ઘરમાં કેદ કરી લીધા હતા તો શીલા દીક્ષિત તેમને મળવા ગયા હતા. પરંતુ રાહુલ ગાંધી એ સમયે પાર્ટીના કોઇપણ નેતાને મળવા માંગતા નહોતા. ત્યારે શીલા દીક્ષિત તેમને પોતાનો સંદેશ મોકલ્યો હતો. એમણે કહ્યું હતું કે, 'મેં તેમને મારો સંદેશ મોકલ્યો છે કે તેમણે અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવું જોઇએ નહીં. અમે ઇચ્છતા હતા કે તે પદ પર બની રહે નહીં તો એ અમારા માટે અનિષ્ઠકારી રહેશે.
આ પહેલા શીલા દીક્ષિતે એમ પણ કહ્યું હતું કે, પાર્ટીને રાહુલ ગાંધીનું રાજીનામુ સ્વીકાર ન કરવું જોઇએ. હાર-જીત તો પાર્ટીનો હિસ્સો હોય છે પરંતુ મહત્વપૂર્ણ એ છે કે, લડાઇ ચાલુ રાખવામાં આવે. અમે હાર્યા છીએ અને તેની સમીક્ષા કરી રહ્યા છીએ. આપણે ભૂલોનો રસ્તો શોધીશું. આપણે ઇન્દિરા ગાંધીના સમયે પણ હાર્યા હતા.'
18 જૂને પણ ઉપરાજ્યપાલને લખ્યો હતો પત્ર
પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે ગત 18 જૂને ઉપરાજ્યપાલ અનિલ બેજલને પત્ર લખીને ક્ષેત્રમાં વધતા ગૂનાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. દીક્ષિતનો પત્ર મુખર્જી નગર વિસ્તારમાં પોલીસ કર્મીઓ દ્વારા કથિત રૂપે એક ટેમ્પો ચાલકને માર મારવા મામલે હતો. શીલા દીક્ષિતે વધતી ગૂનાખોરી મામલે તેમને હસ્તક્ષેપ કરવા અપીલ કરી હતી.
આ ઉપરાંત 12 જૂને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિતે દિલ્હી મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ (Arvind Kejriwal)ને કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર આવનાર 6 મહીના સુધી દિલ્હીના વીજળી ઉપભોક્તાઓને વીજળી બિલ ન વસૂલે. આપને જણાવીએ કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તે ઘણા સમયથી બીમાર હતા. અને હોસ્પિટલમાં તેમનો ઉપચાર થઇ રહ્યો હતો.