સર્જિકલ સ્ટ્રાઈક પર પાકિસ્તાનના રેલવે મંત્રીએ નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. પાકિસ્તાનના રેલવે મંત્રીએ કહ્યું કે ભારત તેમના દેશ વિરૂદ્ધ ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક કરી શકે છે. ભાજપનું નિવેદન દર્શાવે છે કે પાકિસ્તાનમાં હજુ પણ આતંકી સંગઠન સક્રિય છે.
પાકિસ્તાનના રેલવે મંત્રી અને પીએમ ઈમરાન ખાનના નજીકના શેખ રશીદના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે 2019માં લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી રાજકીય ફાયદો ઉઠાવી શકે છે.
જેના માટે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક જેવો હુમલો કરી શકે છે. રશિદે એવું પણ ક્હયું કે 2019 પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વનું વર્ષ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ પાર્ટી પોતાના પાંચ રાજ્યોમાં થયેલી હાર બાદ પોતાના લોકોને ખુશ કરવા માટે 2019ની ચૂંટણી પહેલા પીએમ મોદી પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક કરવાનો આદેશ આપી શકે છે.
આમ ભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી અંગેની ચર્ચા અત્યારથી પાકિસ્તાનમાં થવા લાગી છે. પાકિસ્તાનના રેલવે મંત્રીએ આ ચૂંટણીને હવે સર્જીકલ સ્ટ્રાઇક સાથે જોડી દીધી છે.
રેલવે મંત્રીએ જણાવ્યું કે ભારતમાં સત્તાધારી ભાજપ ચૂંટણી અગાઉ પાકિસ્તામાં ફરી સર્જીકલ સ્ટ્રાઇક કરાવી શકે છે.
શેખ રાશિદના મત મુજબ ગત ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. લોકસભાની ચૂંટણીમાં પરાજયનો સામનો ન કરવો પડે તેના કારણે સર્જીકલ સ્ટ્રાઇક કરાવી શકે છે.