પાડોશી દેશ બાંગ્લાદેશમાં થયેલી ચૂંટણીમાં ફરી એકવાર શેખ હસીના મોટી જીત તરફ આગળ વધી રહ્યાં છે. જો કે ચૂંટણીના પરિણામનું સત્તાવાર સ્પષ્ટ ચિત્ર સોમવાર સાંજ સુધીમાં બહાર આવશે.
પરંતુ બાંગ્લાદેશમાંથી મળતાં એક અહેવાલ મુજબ શેખ હસીનાની પાર્ટીની મોટી જીત થઇ હોવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે ત્રીસ ડિસેમ્બરે બાંગ્લાદેશમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવી ગયું અને શેખ હસીના ફરી એકવાર જીત્યા છે.
ત્યારે શેખ હસીના ચોથી વાર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી બનશે. બાંગ્લાદેશમાં 300 સીટોમાંથી 266 સીટો પર સત્તારૂઢ આવામી લીગ અને તેમની સહયોગી પાર્ટીને જીત મળી છે. જ્યારે વિપક્ષ પાર્ટીઓને 20 - 21 સીટ પર જ જીત મળી છે.
તો પરિણામ જોતા લાગે છે કે શેખ હસીના ચોથીવાર બાંગ્લાદેશના પીએમ બનશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી સાથે જોડાયેલી હિંસામાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થયા છે. જ્યારે વિપક્ષે આરોપ લગાવી ચૂંટણીની માગ કરી હતી.
જો કે ચૂંટણી પંચે અત્યાર સુધીમાં માત્ર એક બેઠક ગોપાલગંજના પરિણામની પુષ્ટી કરી છે. જ્યાંથી શેખ હસીનાને 2 29 539 મત મળ્યાં છે જ્યારે તેમની સામેના બીએનપી ઉમેદવારને માત્ર 123 મત મળ્યાં.
જો કે પરાજયનો સામનો કરી રહેલા બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષ એનયૂએફ ગઠબંધને ચૂંટણીના પરિણામને ફગાવી દીધા ચે અને નિષ્પક્ષ કાર્યવાહક સરકાર હેઠળ ફરીથી ચૂંટણી કરાવાની માગ કરી છે. એનયૂએફમાં મુખ્ય પક્ષ બીએનપી છે.
શેખ હસીના ચોથી વખત વડાપ્રધાન બનવા માટે ચૂંટણી લડી રહી છે જ્યારે ઢાકા જેલમાં બંધ તેમની પ્રતિસ્પર્ધી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ની પ્રમુખ ખાલિદા જીયાનું ભવિષ્ય હાલ ધૂંધળું જોવા મળી રહ્યું છે.