માઘ મહિનાના કૃષ્ણપક્ષની એકાદશીના દિવસે ષટતિલા એકાદશી વ્રત કરવામાં આવે છે. આમ તો એકાદશીનું વ્રત દર મહિને 2 વખત રાખવામાં આવે છે. પરંતુ તેમાંથી અમુક એકાદશીને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેમાંથી ષટતિલા એકાદશી એક છે.
માઘ મહિનાના કૃષ્ણપક્ષની એકાદશીના દિવસે કરાય છે ષટતિલા એકાદશી
આ દિવસે શ્રદ્ધાળુએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી પડે છે
ષટતિલા એકાદશીના દિવસે તલનુ દાન કરવાથી અઢળક સુખ-સમૃદ્ધી મળે છે
ષટતિલા એકાદશીનું વ્રત
ચાલુ વર્ષે આવતીકાલે એટલેકે 28 જાન્યુઆરી 2022ના રોજ શુક્રવારે ષટતિલા એકાદશી વ્રત રાખવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિભાવપૂર્વક પૂજા કરવાથી અને તલનું દાન કરવાથી જીવનમાં અઢળક સુખ-સમૃદ્ધી મળે છે. ષટતિલા એકાદશી તિથી 27 જાન્યુઆરીએ રાત્રે 2.16 વાગ્યાથી શરૂ થશે અને 28 જાન્યુઆરીએ રાત્રે 11.35 વાગ્યે સમાપ્ત થશે. ષટતિલા એકાદશીની પૂજાનું શુભ મુહૂર્ત 28 જાન્યુઆરીએ સવારે 7.11 વાગ્યાથી 9.20 વાગ્યા સુધી રહેશે.
ષટતિલા એકાદશીમાં 6 રીતે કરાય છે તલનો પ્રયોગ
ષટતિલા એકાદશીનું વ્રત તલના ઉપયોગ વગર કરી શકાતુ નથી. એટલું જ નહીં, તેમાં 6 રીતે તલનો ઉપયોગ કરવાનો નિયમ છે.
ભગવાન વિષ્ણુની પૂજામાં તલથી બનાવેલી મિઠાઈઓ અને પકવાનનો ભોગ અર્પણ કરો. આ સાથે જાતકે પણ તલથી બનાવેલી ફળાહારી ચીજ વસ્તુઓનું સેવન કરવુ જોઈએ.
ભગવાન વિષ્ણુની પૂજા-હવનમાં પણ તલનો ઉપયોગ કરો.
જો શક્ય હોય તો વ્રત કરનાર શ્રદ્ધાળુએ તલના તેલથી પોતાની માલિશ કરવી જોઈએ. જેનાથી આખુ વર્ષ તેનું આરોગ્ય સારુ રહેશે.
કોઈ પણ વ્રત ત્યાં સુધી પૂર્ણ થતુ નથી. જ્યાં સુધી દાન ના કરવામાં આવે. ષટતિલા એકાદશીના દિવસે પણ દાન આવશ્ય કરવુ જોઈએ. સારું રહેશે કે આ દિવસે તલનુ દાન કરો.