ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડનાર શત્રુધ્ન સિંહાના ફરી શૂર બદલાયા છે. ફરી એકવાર શત્રુધ્ન સિંહાએ ગૃહમંત્રી અમિત શાહના ભરપેટ વખાણ કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ મરાંડીની પાર્ટી JVMએ ભાજપ સાથે જોડાણ કર્યું છે.
શૉટગનની ફરી થશે ઘર વાપસી ?
શું શત્રુધ્ન સિન્હા ફરી ભાજપમાં જોડાશે ?
શત્રુધ્ન સિન્હાએ અમિત શાહના કર્યા વખાણ
બાબૂલાલ મરાંડીના ફરી ભાજપ જોડાણ પાછળ અમિત શાહની મોટી ભૂમિકા હોવાની ચર્ચા છે. જેને લઇ કોંગ્રેસ નેતા શત્રુધ્ન સિંહાએ ટ્વીટ કરી શાહના વખાણ કર્યા હતા. શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કર્યું કે, માસ્ટર સ્ટ્રેટજિસ્ટ ગૃહમંત્રી અમિત શાહ અને તેમની ટીમની જબરદસ્ત છાપ, ઈમાનદારી, વિશ્વસનીયતા, નેતૃત્વકર્તાના ગુણ વાળા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ મરાંડીને પરત લાવીને માસ્ટર સ્ટ્રોક લગાવ્યો છે. તેમની ઘરવાપસીની સાથે જ 14 વર્ષનો વનવાસ પુરો થયો છે.
Master stroke by the master strategist, Hon’ble HM #AmitShah & his team to rope in a very dear friend, man with tremendous image, integrity, credibility, leadership qualities frm CM, Jharkhand #BabulalMarandi from #Jharkhand. His ghar wapsi brings an end to his vanvas of 14yrs.
મહત્વનું છે કે અમિત શાહના વખાણ કર્યા બાદ અનેક ચર્ચા શરૂ થઇ છે કે શું શોટગન શત્રુધ્ન સિંહાની ફરી ઘર વાપસી થશે? શું ફરી શત્રુધ્ન સિંહા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.