સોનાક્ષી સિન્હા અમે તેના રામાયણ અંગેના જ્ઞાનને લઈને હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ એક્ટર મુકેશ ખન્ના અને દૂરદર્શને સોનાક્ષી સિન્હાની મજાક ઉડાવી હતી. સોનાક્ષી સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. આ વિવાદમાં સોનાક્ષી સિન્હાએ તો કોઈ પ્રતિક્રિયા ન આપી પરંતુ હવે તેના પિતા શત્રુઘ્ન સિન્હાની પ્રતિક્રિયા સામે આવી છે.
એક વેબપોર્ટલ સાથેની વાતચીત દરમિયાન શત્રિઘ્ન સિન્હાએ દીકરીનો બચાવ કર્યો છે અને એક્ટર મુકેશ ખન્ના પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું- મને લાગે છે કે, કેટલાક લોકોને મારી દીકરીથી એટલે તકલીફ છે કારણ કે તેણે રામાયણના સવાલના જવાબ ન આપ્યા. પણ કોણે તેને રામાયણની એક્સપર્ટ બનાવી છે અને કોણે તેને હિન્દુ ધર્મની રક્ષક બનાવી છે.
એટલું જ નહીં શત્રુઘ્ન સિન્હાએ સોનાક્ષીની પ્રશંસા કરતા કહ્યું કે, તે બહુ જ સારી દીકરી છે. તેમણે આગળ કહ્યું- હું મારા ત્રણેય બાળકો પર ગર્વ અનુભવું છું. સોનાક્ષી પોતાના દમ પર સ્ટાર બની છે, મારે તેને ક્યારેય લોન્ચ કરવી પડી નથી. રામાયણ પર એક સવાલનો જવાબ ન આપવા પર કોઈ પણ સોનાક્ષીથી એક હોવાનો સન્માન છીનવી શકે નહીં. સોનાક્ષીને કોઈના અપ્રૂવલની જરૂર નથી.
તમને જણાવી દઈએ કે થોડાં દિવસ પહેલાં જ મુકેશ ખન્નાએ સોનાક્ષી સિન્હા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સોનાક્ષીએ રામાયણ અને મહાભારત જોવી જોઈએ. તેમના મુજબ સોનાક્ષી જેવા લોકોને દેશની પૌરાણિક કથાઓ વિશે કોઈ જાણકારી નથી.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સોનાક્ષી સિન્હાને કેબીસીમાં હનુમાન સંજીવની બૂટી કોના માટે લાવ્યા હતા તેનો જવાબ ખબર નહોતી. જેનાથી લોકો ચોંકી ગયા હતા અને એ સમય પણ સોનાક્ષીને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.