ભાજપના શત્રુ હવે કોંગ્રેસના દોસ્ત બની ગયા છે. કોંગ્રેસમાં આવતાની સાથે જ તેમને બિહારની પટના સાહિબની ટિકિટ પણ મળી છે. શત્રુધ્ન સિન્હા પોતાના ભાજપ વિરોધી નિવેદનના લીધે સતત ચર્ચામાં રહ્યા છે. શત્રુધ્ન સિન્હા એક સમયના સાથી અમિતાભ બચ્ચન પણ રાજકારણનો સ્વાદ ચાખી ચૂક્યા છે.જોકે આ બંને વચ્ચે સંબંધો સતત ખાટા-મીઠા રહ્યા છે. પોતાની બાયોગ્રાફી 'એનિથિંગ બટ ખામોશ'માં શત્રુધ્ન સિન્હાએ આવા ઘણા કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમાં એક કિસ્સામાં જણાવ્યું છે કે કેવી રીતે શૂટિંગ દરમિયાન ઢોરમાર માર્યો હતો.
પોતાની બાયોગ્રાફી 'એનિથિંગ બટ ખામોશ'માં શત્રુધ્ન સિન્હાએ એક કિસ્સો જણાવ્યુ છે કે, ''ફિલ્મ કાલા પથ્થરની એક ફાઇટિંગમાં અમિતાભ બચ્ચને મને ઢોરમાર માર્યો અને ત્યાં સુધી ના રોકાયા જ્યાં સુધી શશિ કપૂર વચ્ચે આવીને અમને અલગ ના કર્યા. મને આ સીન વિશે કશું જ કહેવામાં આવ્યુ ન હતુ.''
બાયોગ્રાફીમાં જણાવવામાં આવ્યું છે કે, ''કાલા પથ્થરના સેટ પર અમિતાભની બાજુની ખુરશી ક્યારેય શત્રુઘ્ન સિંહાને આપવામાં નહોતી આવી કે ન તો છત્રી શૅર કરવામાં આવી હતી. અમે લોકેશન પરથી એક જ સેટ માટે જતાં હતાં પરંતુ ક્યારેય તેમણે મને તેમની કારમા આવવાનું કહ્યુ ન હતુ. હુ હંમેશા એ વિચારતો રહ્યો કે આવુ શા માટે થઇ રહ્યુ છે. કારણ કે તેમના પ્રત્યે મારી કોઇ ફરિયાદ નથી.''
બાયોગ્રાફીમાં શત્રુઘ્ન સિંહાએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, મારી એક્ટિંગના વખાણ થઇ રહ્યા છે અને ખરી મુશ્કેલી એ જ હતી. અમિતાભ જોઇ શકતા હતા કે મને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ જ કારણોસર તેઓ નહોતા ઇચ્છતા કે હું ફિલ્મનો ભાગ બનુ. મેં ચાપલૂસીમાં ક્યારેય વિશ્વાસ નથી રાખ્યો. આ જ કરાણો સર મેં 'પા'માં તેમની એક્ટિંગના વખાણ કર્યા ન હતા.
તમને જણાવી દઇએ કે, શત્રુધ્ન સિન્હા અને અમિતાભ બચ્ચને એક સાથે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતુ, તે તમામ સુપરહિટ રહી હતી. દોસ્તાના’, ‘કાલા પથ્થર’, ‘પરવાના’, ‘નસીબ’ અને ‘શાન’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.