બિહારના પટના સાહિબમાં કોંગ્રેસના ઉમેદવાર શત્રુધ્ન સિન્હાને લોકસભા ચૂંટણી 2019માં હાર મળી. શત્રુધ્નની ટક્કર કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદ સાથે થઇ. જોકે હાર પછી કોંગ્રેસના નેતાએ કહ્યુ કે, ''કંઇક ખેલ તો મોટાપાયે થયો છે.''
એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન શત્રુધ્ન સિન્હાએ કહ્યુ કે, ''કંઈક ‘ખેલ’ તો મોટાપાયે થયો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, પ્રશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ આ ખેલ જોવા મળ્યો છે. પરંતુ આ બધી બાબતો પર વાત કરવાનો આ યોગ્ય સમય નથી.'' આ સાથે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને ચૂંટણીમાં તેમની જીત પછી અંભિનંદન આપ્યા. તેમણે શાહને 'રણનીતિ બનાવનાર મહારથી' પણ જણાવ્યા.
શત્રુધ્ન સિન્હાએ કહ્યુ કે, ''હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને અભિનંદન પાઠવુ છું. જે એક સારા રણનીતિકાર છે. હું મારા પારિવારીક મિત્ર રવિ શંકર પ્રસાદને પણ અભિનંદન આપુ છુ અને આશા રાખુ છું કે, પટના હવે સ્માર્ટસિટી બનશે.''
ઉલ્લેખનીય છે કે, આ પહેલા શત્રુધ્ન સિન્હા ભાજપમાં હતા અને પીએમ મોદી વિરુદ્ઘ તેમણા નિવેદન ઘણા ચર્ચામાં રહ્યા, જોકે થોડા સમય પહેલા જ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.
તો બીજી તરફ ઉત્તર પ્રદેશની લખનઉ સીટ પર સમાજવાદી પાર્ટીને લોકસભા ઉમેદવાર અને શત્રુધ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હાને હારનો સામનો કરવો પડ્યો છે. પૂનમ સિન્હા સામે ભાજપના નેતા અને ગૃહમંત્રી રાજનાથ સિન્હા હતા જેમણે પૂનમ સિન્હાને હરાવી દીધા.