લોકસભા ચૂંટણી પહેલા નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. ભાજપમાં રહીને મોદી સરકાર સામે બેફામન નિવેદનો કરતા શત્રૂધ્નસિંહા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના સ્થાપના દિને જ તેમને ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો હાથ પકડયો છે.
લોકસભા ચૂંટણી પહેલા નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. ભાજપમાં રહીને મોદી સરકાર સામે બેફામન નિવેદનો કરતા શત્રૂધ્નસિંહા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના સ્થાપના દિને જ તેમને ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો હાથ પકડયો છે.
શત્રુઘ્ન સિન્હા આખરે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. શત્રૂધ્નસિંહા કોંગ્રેસમાં જોડાયા બાદ તેને મોદી અને અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા હતા. શત્રૂધ્નસિંહાએ ભાજપ સંસ્થાપકો નાનાજી દેશમુખ, અટલજી અને અડવાણીના જોરદાર વખાણ કર્યા હતા. વધુમાં તેમને દુ:ખ છે કે ભાજપના સ્થાપના દિવસે જ તેમને પાર્ટી છોડવાનો નિર્ણય લેવો પડ્યો. મને કોંગ્રેસમાં સામેલ કરાવવામાં લાલુ યાદવની અગત્યની ભૂમિકા રહી હોવાનું નિવેદન કર્યું હતું.
શત્રુઘ્ને કહ્યું હતું કે, ભાજપનો 49મો સ્થાપના દિવસ છે. આજના દિવસે પાર્ટીને છોડવી મારા માટે દુ:ખદ છે. જય પ્રકાશ નારાયણને હું મળ્યો તો તેમણે નાનાજી દેશમુખ સાથે મારો પરિચય કરાવ્યો હતો. ભારત રત્ન નાનાજી એ મારી રાજકીય પરવરિશ કરી હતી. તેમણે મને અટલજી સાથે મળાવ્યા અને મેં ભાજપ માટે કામ કરવાનો નિર્ણય લીધો.
શત્રૂધ્નસિંહાએ અમિત શાહ અને મોદી પર જોરદાર કટાક્ષ કર્યા હતા. તેમને આરોપ લગાવ્યો હતો કે, પાર્ટીમાં સિનિયર નેતાઓને સાઈડલાઈન કરીને તેમનું અપમાન કરાઈ રહ્યું છે. હવે ભાજપની લોકશાહીને ધીમે-ધીમે તાનાશાહીમાં બદલાતી જોઇ છે. ભાજપ હવે વન મેન આર્મી અને ટુ મેન શો બની ગઇ છે. શત્રુઘ્નસિન્હાએ મોદી સરકારના કરાયેલા નિર્ણયોની પણ જોરદાર ટીકા કરી. નોટબંધી જેવા નિર્ણયથી દેશના લોકો પર શું વીતિ હશે. પીએમના આ નિર્ણયે લોકોને લાઇનમાં ઉભા કરી દીધા પ્રચાર પર જેટલો ખર્ચ કરાઇ રહ્યો છે એટલા પૈસા વિકાસ પર ખર્ચ કરાયા હોત તો સ્થિતિ કંઇક જુદી હોત. આમ શત્રૂધ્નએ ભાજપ છોડયા બાદ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.