PMC બેન્કમાં કૌભાંડના કારણે સરકારે તેમાંથી પૈસા કાઢવા પર રોક લગાવેલી છે જેની સામે શત્રુઘ્ન સિન્હાનો ગુસ્સો ફૂટ્યો છે.તેમણે ટ્વિટ કરીને સરકાર પર રોષ ઠાલવ્યો છે અને સરકારથી ખાતાધારકોને રાહત આપવા માટે વિનંતી કરી.
એક પછી એક ટ્વિટ કરી હુમલા કર્યા સાથે જરૂરી મુદ્દા ઉઠાવ્યાં
સરકાર અને RBI પર ઉઠાવ્યાં સવાલ
ખાતાધારકોને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો
તેમણે ટ્વિટ કરીને સરકાર અને RBI પર રોષ ઠાલવ્યો
બૉલીવુડમાંથી નેતા બનેલા શત્રુઘ્ન સિન્હા નીડરતાથી પોતાની વાત મુકવા માટે જાણીતા છે. આ વખતે શત્રુઘ્ન સિન્હાએ PMC બેન્ક મુદ્દે સરકાર પર આકરાં પ્રહાર કર્યા છે. તેમણે ટ્વિટ કરીને સરકાર અને RBI પર રોષ ઠાલવ્યો છે. ઉલ્લેખનીય છે કે તેમના ટ્વિટ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થતાં હોય છે આ વખતે તેમણે એક પછી એક ટ્વિટ કરી હુમલા કર્યા સાથે જરૂરી મુદ્દા ઉઠાવ્યાં છે. જે બાદ તેમને ખુબ બધા રિએક્શન પણ મળી રહ્યા છે.
'આપણે/સરકાર/RBI તેમના પૈસા કાઢવા પર રોક લગાવનાર છે કોણ?'
શત્રુઘ્ન સિન્હાએ લખ્યું 'સર શું આપનું ધ્યાન PMC બેન્કના ખાતાધારકો તરફ આપી શકીએ.તેઓ પાછલાં ઘણા મહિનાથી પોતાના જ પૈસા કાઢવા માટે પરેશાન થઇ રહ્યાં છે. આખરે આ તેમનાં મહેનતન પૈસા છે. આપણે/સરકાર/RBI તેમના પૈસા કાઢવા પર રોક લગાવનાર છે કોણ?'
Sir, can we draw your attention to the depositors of #PMCBANK. They have been hanging fire for their own money for months now as their need is logical & deserving. After all it’s their hard earned money. Who the hell are we / Govt officials / RBI to restrict their withdrawals ?
'વિનમ્ર વિનંતી છે કે વહેલાંમાં વહેલી તકે તેમને રાહત આપવામાં આવે'
તેમણે હજુ એક ટ્વિટ કર્યું અને લખ્યું 'તેઓ પોતાની જ બેન્ક અને પોતાના જ દેશમાં પોતાના જ પૈસા કાઢવા માટે પરેશાન છે સંઘર્ષ કરી રહ્યાં છે. અમુકે પોતાના જીવ પણ ગુમાવ્યાં છે જે યોગ્ય નથી. વિનમ્ર વિનંતી છે કે વહેલાંમાં વહેલી તકે તેમને રાહત આપવામાં આવે. તેમને છેતરાયેલા અનુભવવાથી રોકીએ અને તેમનો વિશ્વાસ જાળવી રાખીએ.જય હિંદ'