મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલતી શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવામાં આવી આવી છે. આ ટ્રેનને સુરત રેલ્વે સ્ટેશનથી કેન્દ્રીય રેલ્વેમંત્રી દર્શનાબેન જરદોષ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
મુંબઇથી ગાંધીનગરને કરાયું કનેક્ટ
શતાબ્દી હવે ગાંધીનગર સુધી લંબાવાઇ
શતાબ્દીને કેટલાય વખતથી ગાંધીનગર સુધી લંબાવવાની માંગ હતી
ગાંધીનગરનાં મુસાફરોને સુગમતા પડે એ માટે સુરત ખાતેથી ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસને ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો, આજથી આ ટ્રેન ગાંધીનગર સ્ટેશન સુધી જશે ત્યારે સુરતથી શતાબ્દી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી.
(1/2) pic.twitter.com/I4dT3ym2zh
શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન પહેલા મુંબઇ અમદાવાદ વચ્ચે દોડતી હતી
પશ્ચિમ રેલવેની પ્રિમિયમ ટ્રેન તરીકે જાણીતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવામાં આવી છે. જે હવેથી ગાંધીનગર સુધી જશે. મહત્વનું છે કે, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન પહેલા મુંબઇ અમદાવાદ વચ્ચે દોડતી હતી. આ ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવા માટે ઘણા સમયથી માંગ હતી. જે રેલવે વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. મુંબઇને ગાંઘીનગર સાથે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન દ્વારા કનેક્ટ કરવામાં આવ્યું છે. રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ અને નવસારી સાંસદ સી આર પાટીલ દ્વારા ટ્રેનને લીલીઝંડી આપી સુરતથી રવાના કરાઇ હતી
ગાંધીનગરનાં મુસાફરોને સુગમતા પડે એ માટે નિર્ણય લેવાયો
સુરત ખાતેથી ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસને ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો, આજથી આ ટ્રેન ગાંધીનગર સ્ટેશન સુધી જશે ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય થી ગાંધીનગર ,ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા તરફના પ્રવાસીઓ માટે પણ સરળતા રહેશે
આ પ્રસંગે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, લાંબા સમયથી માંગણીને પૂર્ણ કરવા બદલ વડાપ્રધાન તથા રેલ્વેમંત્રીઓ પ્રત્યે આભારતી લાગણી વ્યકત કરી હતી. આગામી સમયમાં લોકોની માંગણી મુજબ વધુ ટ્રેનો શરૂ કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. આ પ્રસંગે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ટ્રેન બોરીવલી, સુરત, વડોદરા, આણંદ,અને અમદાવાદ સહિતના સ્ટેશનો પર ઉભી રહેશે
ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 6.10 કલાકે ઉપડશે અને એજ દિવસે ગાંધીનગર કેપિટલ 13.40 કલાકે પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 14.20 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ અને અમદાવાદ સ્ટેશનો પર ઉભી રહેશે. 24 ડિસેમ્બરથી રવિવાર સિવાય રોજ શતાબ્દી એક્સપ્રેસ મુબંઈથી ગાંધિનગર સુધી ચલાવવામાં આવશે.