કોચ રવિશાસ્ત્રીનો સફર હવે પૂર્ણ થશે અને રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ બન્યા છે. રવિએ કહ્યું કે જે વસ્તુઓ બાકી રહી ગઇ છે તેને દ્રવિડ પૂર્ણ કરશે.
રવિ શાસ્ત્રીને રહી ગયો આ અફસોસ
IPL ટીમના કોચ બની શકે છે રવિ
રાહુલ દ્રવિડ સંભાળશે ટીમની કમાન
59 વર્ષના રવિ શાસ્ત્રીએ કહ્યું, એક વસ્તુની કમી રહી ગઇ તે છે ICC ટુર્નામેન્ટની ટ્રોફી. તેમને આગળ તક મળશે જેની કમાન રાહુલ દ્રવિડ સંભાળશે. હું તેમને શુભકામનાઓ આપું છું. રાહુલ શાનદાર ખેલાડી રહી ચૂક્યો છે અને તેનો એક અલગ રુતબો રહ્યો છે. આશા છે કે તે ટીમને નવી ઉંચાઇઓ સુધી પહોંચાડશે.
શાસ્ત્રીએ તેની સાથે બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડીંગ કોચ શ્રીધરની પણ પ્રશંસા કરી હતી. જેમનો કાર્યકાળ પણ વર્લ્ડકપ સાથે સમાપ્ત થઇ ગયો છે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2021 બાદ સમાપ્ત થઈ રહ્યો છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે આ પછી તે કોઈપણ IPL ટીમનો કોચ બની શકે છે.
મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના રૂપમાં ટી-20 વર્લ્ડ કપ 2021 ભારતીય ક્રિકેટ ટીમની છેલ્લી ટૂર્નામેન્ટ હશે મુખ્ય કોચ તરીકેનો તેમનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2021 પછી સમાપ્ત થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ન વધારવાનો નિર્ણય લીધો હતો. શાસ્ત્રીની જગ્યાએ BCCIએ પૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. રાહુલ દ્રવિડ વર્લ્ડ કપ બાદ ન્યુઝીલેન્ડ સામેની હોમ સીરીઝ પહેલા ટીમ સાથે જોડાશે. ન્યૂઝીલેન્ડના ભારતના પ્રવાસની શરૂઆત ટી-20 મેચથી થશે. શ્રેણીની પ્રથમ મેચ 17 નવેમ્બરે જયપુરમાં રમાશે.
અટકળો ચાલે છે કે, કોઈપણ IPL ટીમના કોચ બની શકે છે
હવે મોટો સવાલ એ છે કે વર્તમાન કોચ રવિ શાસ્ત્રી ટી20 વર્લ્ડ કપ 2021 પછી શું કરશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શાસ્ત્રી ટૂંક સમયમાં IPL ટીમના કોચ તરીકે નવી ઇનિંગ શરૂ કરતા જોવા મળી શકે છે. એવી શક્યતા છે કે રવિ શાસ્ત્રી અમદાવાદ અને લખનઉની બે નવી IPL ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ શકે છે. એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે, અમદાવાદ ફ્રેન્ચાઈઝી દ્વારા રવિ શાસ્ત્રીનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓ તેને જોડવા તૈયાર છે. જોકે, આ અંગે ફ્રેન્ચાઈઝી અને રવિ શાસ્ત્રી બંને તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.