પ્રાણી માત્ર પ્રત્યે દયા એ જ સાચો ધર્મ છે. આ વાક્યને ચરિતાર્થ કરે છે અમદાવાદના વેટ ડોક્ટર શશી જાધવ.
અમદાવાદનામાં રહેતા ડોક્ટર શશી જાધવનો જન્મ મહારાષ્ટ્રના એક નાના ગામડામાં થયો હતો. બાળપણમાં તેઓ તેમના માતાપિતાને ખેતરમાં મદદ કરતા અને પ્રાણીઓ અને પક્ષીઓ સાથે રમતા. પશુપંખી સાથે રહીને તેમને સમજાયું કે તેઓ આ મૂંગા જીવોની ભાષાને સમજી શકે છે અને તેમની સાથે રહીને તેમને ખૂબ સંતોષ મળે છે.
પશુ પક્ષીઓ સાથેનો તેમનો નાતો વધુ ઘેરો કરવા અને તેમની સમસ્યાઓને વધુ સારી રીતે સમજી શકવા માટે તેઓએ તેમનું ગામ છોડીને પશુઓના ડોક્ટર બનવા નક્કી કર્યું. તેમના શરૂઆતના વર્ષોમાં તેઓએ ઘણા ગામડાઓમાં પરિશ્રમ કર્યો અને સ્થાનિક આદિવાસીઓને પોલ્ટ્રી ફાર્મિંગની ટ્રેઇનિંગ આપી. તે સમયમાં 2000ની સાલમાં દુનિયામાં બર્ડ ફલૂ ફેલાયેલો હતો આમ સમયમાં તેમણે જે કામ કર્યા તે ખૂબ વખણાયા અને પછી તેઓએ Vets for Animals નામની સંસ્થા શરુ કરી.
ત્યાર બાદ તેમની આ સંસ્થાએ ઘણી ઓર્ગેનાઇઝેશન સાથે અને સ્થાનિક તંત્રો સાથે કામ કરીને ઘણી પ્રજાતિઓના સંરક્ષણ માટે, હડકવા માટે અને પ્રાણીઓના બર્થ કંટ્રોલ માટે ઘણા કામ કર્યા. આમ છતાં તેઓ જણાવે છે કે આ પૈકી એક પ્રવૃત્તિ તેમના હ્રદયની ખૂબ નજીક છે. તેઓ 2007થી ઉત્તરાયણમાં ઘવાતા પક્ષીઓને બચાવે છે. છેલ્લા 10 વર્ષથી તેઓ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે કામ કરીને ઇજા પામતા પક્ષીઓનો જીવ બચાવે છે.
તેઓએ 2017થી અમદાવાદને પોતાનું ઘર બનાવી દીધું છે. તેઓ અહીં ફૂલ ટાઈમ વેટ ડોક્ટર બની ગયા છે. વર્ષો વર્ષ તેમનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ વધતો જ જાય છે. તેઓએ અત્યાર સુધી 50,000 જેટલા પ્રાણીઓ અને 7,000 જેટલા પક્ષીઓ ઉપર ઓપરેશન કર્યા છે. તેમણે ઘણા વેટ ડોકટરો અને વનવિભાગના અધિકારીઓને તાલીમ આપી છે.
તેઓ અત્યાર સુધી ઉતરાયણમાં આશરે 56,000 પક્ષીઓને બચાવ્યા છે અને તેમાંથી 22,000 પક્ષીઓને ફરીથી ગગનમાં વિહરવા માટે મુક્ત કર્યા છે. તેઓ કહે છે કે તેમના જીવનમાં ઘણી વાર એવા કેસ આવ્યા છે જ્યાં મૂંગા પ્રાણીઓ ઉપર આચરેલી ક્રૂરતા જોઈને તેમનો માનવતામાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. જો કે સાથે સાથે તેમણે એવા પણ ઘણા લોકો જોયા છે જેઓએ પ્રાણીઓને બચાવવા માટે પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા હોય. આવા પ્રાણીઓ માનવતાની જ્યોત સળગતી રાખે છે.
તેઓનો સંદેશ છે કે આ ગ્રહ ફક્ત આપણો માનવોનો એકલાનો નથી.પૃથ્વી ઉપર સૌ કોઈની સાથે મળીને રહેતા શીખવું જરૂરી છે.