દિગ્ગજ કોંગ્રેસ નેતા શશિ થરૂર અને રણદીપ સુરજેવાલાએ 2013એ એક ટ્વીટનો હવાલો આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. 2013માં ભારત-ચીન વચ્ચેના તણાવ સાથે આ ટ્વીટ નરેન્દ્ર મોદીએ ત્યારે કર્યું હતું જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ ટ્વીટને લઇને બંન્ને નેતાઓએ પ્રધાનમંત્રી મોદી પાસેથી જવાબ માગ્યા હતા.
ચીન મુદ્દે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કર્યું હતું ટ્વીટ
વર્ષ 2013માં કરેલ ટ્વીટમાં નરેન્દ્ર મોદીએ યુપીએ-2 દરમિયાન તત્કાલિન મનમોહન સિંહ સરકારને પૂછ્યું હતું કે, લદ્દાખમાં ભારતીય ફોજ પોતાના વિસ્તારમાંથી પીછેહઠ કેમ કરી રહી છે. ટ્વીટમાં નરેન્દ્ર મોદીએ લખ્યું કે, ચીન પોતાના સેના પરત હટાવી રહ્યું છે પરંચતુ અચરજ એ વાતનું છે કે, ભારતીય સેના પોતાની જ જમીન પરથી પીછેહઠ કેમ કરી રહી છે? આપણે પીછેહઠ કરવાની ખરેખર જરૂર શું છે?
2013માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું ટ્વીટ
આપને જણાવી દઇએ કે, આ ટ્વીટ તે સમયે કરવામાં આવ્યું હતું કે, લાઇન ઓફ કંન્ટ્રોલ પર ભારત અને ચીની ફોન સામ-સામને હતી. તણાવ ઘટાડવા માટે બંન્ને રાષ્ટ્રો વચ્ચે સહમતિ બની અને બંન્ને રાષ્ટ્રોએ લદ્દાના વિવાદિત વિસ્તારમાંથી પોતાના સેના હટાવી લેવાનો નિર્ણય લીધો હતો. આ સમયે ભારતે જણાવ્યું હતું કે, ચીની સેના 15 એપ્રિલ 2013ના રોજ ભારતીય ક્ષેત્રમાં 10 કિમોમીટરના હિસ્સામાં ધસી આવી અને લદ્દાખની દેપ્સાંગ ઘાટીમાં પોતાનું ટેન્ટ ઉભું કરી રહી છે.
China withdraws its forces but I wonder why Indian forces are withdrawing from Indian territory? Why did we retreat? : @narendramodi
ગત રવિવારે જ ભારત અને ચીનના વચ્ચે તણાવ ઓછો કરવા સધાઇ સહમતિ
આવી જ એક ઘટના ગત રવિવારે સામે આવી હતી, જેમાં બંને દેશો તણાવ ઓછો કરવા માટે પોતાનું સેન્ય પાછું ખેંચવા સંમત થયા હતા. લદ્દાખની ગલવાન ખીણમાં, 'નો મેન્સ લેન્ડ' બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી જેથી કોઈ પણ બાજુથી તણાવ ન સર્જાય. મેની શરૂઆતથી જ બંને દેશોની સૈન્ય સામસામે આવી હતી. 15 જૂને બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી જેમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. ચીને પણ અનેક સૈન્ય જાનહાની સહન કરી હતી પરંતુ કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી.
આ ઘટના પર કોંગ્રેસે સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે અને મંગળવારે પાર્ટીના નેતા શશિ થરૂરે નરેન્દ્ર મોદીને 2013ના ટ્વીટની રિ-ટ્વીટ કરતા કહ્યું કે, આ મામલામાં હું મોદીની સાથે છું. પ્રધાનમંત્રી એ આ બાબતનો જવાબ આપવો જોઇએ.
સુરજેવાલાએ પણ ટ્વીટ કર્યું
आदरणीय प्रधान मंत्री जी,
क्या आपके शब्द याद हैं?
क्या आपके शब्दों के कोई मायने हैं?
क्या बताएँगे की अब हमारी फ़ोर्स हमारी सरज़मीं से क्यों पीछे हट रही हैं?
— Randeep Singh Surjewala (@rssurjewala) July 7, 2020
તો આ તરફ રણદીપ સુરજેવાલાએ પણ એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રી જી, શું આપને આપના શબ્દ યાદ છે? શું તમારા શબ્દો મહત્વ ધરાવે છે ? શું જણાવશો આપણી સેનાને જે પીછેહઠ કરી રહી છે. દેશ જવાબ માગે છે.