નાગરિકતા સંશોધન એકટ અને નેશનલ રજિસ્ટર ફોર સિટીઝન મુદ્દે બોલિવૂડથી લઇને રાજકીય દુનિયામાં હલચલ ચાલી રહી છે. બોલિવૂડના બે દિગ્ગજ નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેર વચ્ચે થયેલી શાબ્દિક લડાઇમાં જ્યારે પૂર્વ ગવર્નર સ્વરાજ કૌશલ કૂદ્યા તો વિવાદ વધી ગયો. હવે સ્વરાજ કૌશલને કોંગ્રેસના સાંસદ શશી થરુરે જવાબ આપ્યો છે.
નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેર વચ્ચે શાબ્દિક લડાઇ મામલો
શશી થરુરે આપ્યો જવાબ
શશી થરુરે લખ્યું છે કે શું બીજા ધર્મમાં લગ્ન કરવા દેશદ્રોહ છે? સ્વરાજ કૌશલે ગઇ કાલે નસીરુદ્દીન શાહના મુદ્દે ઘણા બધા ટ્વિટ કર્યા હતા. જેની પર શશી થરુરે લખ્યું કે ગવર્નર સાહેબ શું ધર્મ બહાર કોઇ વ્યકિત સાથે લગ્ન કરવા એન્ટીનેશનલ છે? તે પછી અનુપમ ખેરની ટીકા કરવી. કોંગ્રેસના નેતાએ લખ્યું કે, તમે તમારા મિત્રને બચાવી શકો છો, પરંતુ આ પ્રકારના તર્ક સાથે નહીં જે તમે તમારા આ ટ્વિટમાં ગણાવ્યા છે.
પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે નસીરુદ્દીન અને અનુપમ ખેરના વિવાદમાં ગઇ કાલે ઘણાં ટ્વિટ કર્યાં તેમાં તેમણે અનુપમ ખેરનાં વખાણ કર્યાં અને તેમના નિવેદનોનો બચાવ કર્યો, પરંતુ નસીરુદ્દીન પર ખૂબ જ વરસ્યા. સ્વરાજે લખ્યું કે દેશે તમને આટલું બધું આપ્યું છતાં તમે સંપૂર્ણ રીતે નિરાશાથી ભરાયેલા છે.
નસીરુદ્દીન પર ભડક્યા સ્વરાજના પતિ
તેમણે લખ્યું કે મિ.નસીરુદ્દીન શાહ તમે અહેસાન ભૂલી જનારી વ્યકિત છો. આ દેશે તમને નામ, ઇજ્જત અને પૈસા આપ્યા. આમ છતાં તમે સંપૂર્ણ રીતે નિરાશાથી ભરેલા છો. તમે તમારા ધર્મ બહાર લગ્ન કર્યાં, પરંતુ કોઇએ કંઇ ન કહ્યું. તમારા ભાઇ સેનામાં લેફ. જરનલ પણ બન્યા, શું તમને ઘણું બધું ન મળ્યું?
નસીરુદ્દીને અનુપમ ખેરને કહ્યા જોકર
એનસીએના મુદ્દે એક ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીને કહ્યું હતું કે અનુપમ ખેર એક જોકર છે અને તેમની વાતોને કયારેય પણ ગંભીરતાપૂર્વક ન લેવી જોઇએ, પરંતુ અનુપમ ખેરે નસીરુદ્દીનને જવાબ આપતાં કહ્યું કે તમે જે પદાર્થોનું સેવન કરી રહ્યા છો તેનાથી તમને નિરાશા છે. જે તમે બહાર કાઢી રહ્યા છો.