કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું માનવું છે કે, કોંગ્રેસે પોતાની છાપ બચાવવા માટે પૂર્ણકાલિન અધ્યક્ષ પસંદ કરવા જ પડશે. તેમણે રવિવારે કહ્યું કે, પ્રજા વચ્ચે પાર્ટીની છાપ દિશાહિન કોંગ્રેસ તરીકે ચાલી રહી છે, આને તોડવા માટે એક ફુલ-ટાઇમ અધ્યક્ષની જરૂર છે.
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કોંગ્રેસના નવા અધ્યક્ષ અંગે આપ્યું નિવેદન
સોનિયા પર ભાર મુકવો યોગ્ય નથી: શશી થરૂર
ફુલ ટાઇમ અધ્યક્ષ પસંદ કરવા જ પડશેઃ શશિ થરૂર
શશિ થરૂરે એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધીમાં તે દમ અને કાબિલિયત છે કે તેઓ પાર્ટીને ફરીથી લીડ કરી શકે છે. જો રાહુલ ગાંધી ફરી અધ્યક્ષ નથી બનવા માંગતા તો કોંગ્રેસે નવા અધ્યક્ષ પસંદ કરવાની કવાયત શરૂ કરી દેવા જોઈએ.
સોનિયા પર ભાર મુકવો યોગ્ય નથી
થરૂરે આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે સોનિયા ગાંધી અંતરિમ અધ્યક્ષના રૂપમાં એક વર્ષનો કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે. તેમણે ગત વર્ષ 10 ઓગસ્ટે રાહુલ ગાંધીના રાજીનામા બાદ મજબૂરીમાં કમાન સોંપવામાં આવી હતી. થરૂરે કહ્યું કે, મને એવું લાગે છે કે આપણે પોતાના નેતૃત્વને લઇને સ્પષ્ટ હોવું જોઇએ. હું ગત વર્ષ સોનિયાજીના અંતરિમ અધ્યક્ષ બનવાનું સ્વાગત કર્યું હતું પરંતુ હું એ પણ જાણું છું કે અનિશ્ચિતકાળ સુધી તેમની પાસેથી આ પદ સંભાળવાની અપેક્ષા યોગ્ય નથી.
તાત્કાલિક નવા અધ્યક્ષ પસંદ કરવામાં આવે
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આપણે જનતા વચ્ચે બની રહેલી છાપ પણ સુધારવી પડશે કે કોંગ્રેસ ભટકી ગઇ છે અને રાષ્ટ્રીય સ્તરે વિપક્ષની ભૂમિકા ભજવવામાં સક્ષમ નથી. થરૂરે કહ્યું કે, પાર્ટીએ તાત્કાલિક લોકતાંત્રિક રીતે પૂર્ણકાલિન અધ્યક્ષ પસંદ કરાવની પ્રક્રિયા શરૂ કરવી જોઇએ. તેમના અનુસાર, વિજેતા ઉમેદવારને એટલી તાકાત મળે કે તેઓ પાર્ટીના સંગઠનના સ્તરે ફરીથી ઉભા કરી શકાય.