કોંગ્રેસ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરને સાહિત્યની દુનિયાનું સૌથી મોટુ સન્માન મળ્યું છે. શશિ થરૂરે અંગ્રેજી ભાષામાં યોગદાન માટે સાહિત્ય અકાદમી પૂરસ્કાર 2019થી સન્માનિત કરાયા છે. કોંગ્રેસ સાંસદને આ પૂરસ્કાર તેમના દ્વારા બ્રિટિશ કાળ પર લખવામાં આવેલા પુસ્તક 'An Era Of Darkness' માટે મળ્યો છે. આ પુસ્તક 2016માં રિલીઝ થઇ હતી.
સાહિત્ય અકાદમી પૂરસ્કાર 2019નું એલાન
કોંગ્રેસ નેતા શશિ થરૂરને મળ્યો પૂરસ્કાર
અંગ્રેજી ભાષામાં 'An Era Of Darkness' પુસ્તક માટે મળ્યો પૂરસ્કાર
સાહિત્ય અકાદમી સંસ્થાની તરફથી બુધવારે કુલ 23 ભાષાઓમાં યોગદાન માટે પૂરસ્કારોનું એલાન કરવામાં આવ્યું છે. તેમા હિન્દી, અંગ્રેજી, તમિલ, અસમિયા, બાંગ્લા સહિત અન્ય 23 ભાષાઓ સામેલ છે. શશિ થરૂરને અંગ્રેજી ભાષા માટે પૂરસ્કાર મળ્યો છે.
શું કહે છે શશિ થરૂરનું પુસ્તક 'An Era Of Darkness'
કેરળના તિરુવનંતપુરમથી કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે 2016માં 'An Era Of Darkness' પુસ્તક લખ્યું હતું. બ્રિટેનમાં આ પુસ્તક Inglorious Empire: What the British Did to India નામથી છપાઇ હતી. જેની શરૂઆતના 6 મહીનામાં જ 50,000થી વધારે કોપીઓ વેચાઇ ગઇ હતી.
આ પુસ્તકમાં શશિ થરૂરે ભારતમાં બ્રિટિશ રાજ વિશે લખ્યું છે. જેમા તેમના પર કટાક્ષ પણ કરવામાં આવ્યો છે, ઇતિહાસનો ભાગ પણ સામેલ છે. પુસ્તકમાં 1857 ક્રાંન્તિ, 1919નો જલિંયાવાલા બાગ, ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં આવવું અને બાદમાં અંગ્રેજોનું ભારતથી પાછા જવુ, તમામ ઘટનાઓ વિશે બતાવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા શશિ થરૂર અત્યાર સુધીમાં કુલ 19 પુસ્તકો લખી ચૂક્યા છે. જેનો ઉલ્લેખ તેઓએ પોતાની વેબસાઇટ અને ટ્વિટર એકાઉન્ટ પર પણ કર્યો છે. એન એરા ઓફ ડાર્કનેસ ઉપરાંત ' મેં હિન્દુ ક્યો હું?', 'The Paradoxical Prime Minister', Nehru: The Invention Of India જેવા પુસ્તકો સામેલ છે. જે ઐતિહાસિક અને રાજકીય દ્રષ્ટિએ ઘણા મહત્વપૂર્ણ છે.
યુવામાં લોકપ્રિય શશિ થરૂરNational News
યુવા અને સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરતા લોકોમાં શશિ થરૂરની અલગ ઇમેજ છે. જે તેઓેને અન્ય રાજનેતાઓથી અલગ બનાવે છે. ટ્વિટર પર શશિ થરૂરનો અંગ્રેજી શબ્દોનો ઉપયોગ, તેમનો અંગ્રેજી બોલવાની રીત, તથા ખુલીને બ્રિટેનમાં જઇને અંગ્રેજી શાસન વિરુદ્ધ બોલવુ યુવાઓને ઘણું ગમે છે.