કોગ્રેસના સાંસદ શશિ થરુરને તેમની પત્ની સુનંદા પુષ્કરના મોત મામલે દિલ્હી કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. કોર્ટે હત્યાના આરોપીમાંથી શશિ થરુરને ક્લીન ચીટ આપી દીધી છે. જેથી શશરી થરુરે કોર્ટનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ 7.5 વર્ષથી તેઓ ટોર્ચર અને દુખ બંને સહન કરી રહ્યા હતા.
2014માં થઈ હતી હત્યા
સુનંદા પુષ્કરનું મોત 2014ના રોજ દિલ્હીના એક હોટલમાં થયું હતું તેમની પત્નનીનું જ્યારે મોત થયું તેના અમુક સમય પહેલા તેણે એવા આરોપ લગાવ્યા હતા કે તેમના પતિ શશિ થરૂરના પાકિસ્તાની પત્રકાર સાથે સંબંધ છે. જેથી પોલીસે તેમની સામે 307 અને 498 Aની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તેના પર દુષ્પ્રેરણા અને ડોમેસ્ટિક હિંસાના આરોપો લાગ્યા હતા.
આરોપો સાબિત ન થઈ શક્યા
પોલીસે શશિ થરુર સામે તેમની પત્નીને આત્મહત્યા માટે પ્રેરીત કરવાને લઈને તેમજ દહેજને લઈને ગુનો નોંધ્યો હતો. જોકે પોલીસે કોર્ટમાં એક પણ આરોપ સાબિત ન કરી શકી કોર્ટ દ્વારા શશી થરુરને ક્લીન ચીટ આપી દેવામાં આવી.
મોતનું ચોક્કસ કારણ સામે ન આવ્યું
બચાવ પક્ષના વકીલ વિકાસ પાહવાએ કહ્યું કે સુનંદા પુષ્કરના મોત બાદ તેનો પીએમ રિપોર્ટ અને અને વીસેરા રીપોર્ટ ત્રણ અલગ અલગ લેબોમાં ફોરેન્સિક તપાસ માટે આફવામાં આવ્યો છે. જોકે એક પણ રિપોર્ટમાં મોતના ચોક્કસ કારણનો ઉલ્લેખ ન હતો. બધા રિપોર્ટમાં માત્ર તર્ક વિતર્કો લગાવામાં આવ્યા હતા. જેથી કોર્ટે દરેક રિપોર્ટ પર ભાર આપતા શશિ થરુરને મુ્ક્ત કરી દીધા છે.