અમેરિકી ટીવી હોસ્ટ ટકર કાર્લસને હાલમાં જ પોતાના શો દરમિયાન ભારતને લઈને ટિપ્પણી કરી હતી, જેના કારણે તે ચર્ચામાં છે.
અમેરિકી ન્યૂઝ એન્કર દ્વારા હાલમાં તેના શો પર બફાટ કર્યો હતો
તેના આ પ્રકારના વલણથી ભારતીયો નારાજ થયા
કોંગ્રેસ નેતા શશિ થરુરે ટ્વિટર પર આકરી ટિપ્પણી કરી
અમેરિકી ટીવી હોસ્ટ ટકર કાર્લસને હાલમાં જ પોતાના શો દરમિયાન ભારતને લઈને ટિપ્પણી કરી હતી, જેના કારણે તે ચર્ચામાં છે. હકીકતમાં કાર્લસને શો દરમિયાન કહ્યું હતું કે, બ્રિટેન ભારત પર શાસનના સમયે ભારતને ઘણુ બધું આપ્યું છે. બ્રિટેને ભારતને એક જૂની સભ્યતા આપી, સતીપ્રથા ખતમ કરી, કેટલીય શાનદાર બિલ્ડીંગ બનાવી દીધી. કાર્લસનના આ નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરે ટ્વિટર પર જબરદસ્ત જવાબ આપ્યો છે.
થરુરનો બાટલો ફાટ્યો
શશિ થરુરે કાર્લસનના વીડિયોને શેર કરતા લખ્યું છે કે, મને લાગે છે કે, ટ્વિટરને આ વિકલ્પ પણ આપવો જોઈએ કે, કોઈ પોતાનો ગુસ્સા બહાર જઈ રહ્યા હોય તો, તેને કંટ્રોલમાં કરીને પ્રતિક્રિયા આપે. કોઈ એવું બટન પણ હોવું જોઈએ. શશિ થરુરે કહ્યું કે, હું હાલમાં મારો ગુસ્સો, ચીડને ઈમોજી દ્વારા જાહેર કરવા માગુ છું. ધ્યાન આપવા જેવી બાબત છે કે, શશિ થરુરે ભારતમાં બ્રિટિશ કાળ પર કેટલાય પુસ્તકો લખ્યા છે. જેમાં તેમણે વિસ્તારથી આ વાતની ચર્ચા કરી છે કે, કેવી રીતે અંગ્રેજોએ ભારતને લૂટ્યો.
I think @twitter ought to have an option for something to press when you can’t respond without losing your cool. For now I will content myself with😡 🤬 https://t.co/6tWpUuSuMR
હકીકતમાં એન્કર ટકર બ્રિટન અને અમેરિકાની સરખામણી કરી રહ્યા છે. જ્યારે બંને દેશ બીજા દેશ પર રાજ કરતા હતા ત્યારે વારસામાં શું આપ્યું ? એક તરફ અમેરિકા જ્યારે અફઘાનિસ્તાન છોડ્યું ત્યારે પરિસ્થિતિ ખરાબ હતી, લોકો એરસ્ટ્રીપ પર જીવ બચાવવા દોડી રહ્યા હતા, બીજી તરફ બ્રિટને ભારત છોડ્યું ત્યારે સમૃદ્ધિ હતી, ઘણા મોટા સુધારા થયા, એક સંસ્કૃતિનો વારસો આપીને ગયા.
બોમ્બે રેલ્વે સ્ટેશનને અદ્ભૂત ગણાવ્યું
ફોક્સ ન્યૂઝ એન્કર ટકર કાર્લસનના શો દરમિયાન કહ્યું કે, બ્રિટેને ભારતમાં શાસન દરમિયાન પોતાની colonial જવાબાદારીને પુરી કરી. બોમ્બેમાં રેલ્વે સ્ટેશન તેનું શાનદાર ઉદાહરણ છે. વોશિંગ્ટન ડીસીમાં આવા પ્રકારની કોઈ બિલ્ડીંગ નથી. આજે ભારત યુકે કરતા પણ વધારે મજબૂત છે અને શક્તિશાળી છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ ભારત આવી એક પણ બિલ્ડીંગ નથી બનાવી શક્યું જેવું મુંબઈમાં રેલ્વે સ્ટેશનથી સારુ હોય.
બ્રિટેનની વાહવાહી
કાર્લસને કહ્યું કે, બ્રિટેશ કાળ ફક્ત નરસંહારનો કાળ નહોતો. બ્રિટેને નરસંહાર નથી કર્યો. બ્રિટેને દુનિયાને મેગ્નાકાર્યા આપ્યું.હેબિયર્સ કાર્પસ આપ્યું. અભિવ્યક્તિની આઝાદી આપી. બ્રિટેને દાસ પ્રથાને ખતમ કરવાનું કામ કર્યું. સતી પ્રથાને ખતમ કરી, આ શોની એક ક્લિપને સોશિયલ મીડિયા પર યુઝર્સ શેર કરી રહ્યા છે. યુઝર્સે લખ્યું છે કે, હસવું આવે છે. જ્યારે ભારતમાં અમે ફરવા ગયા ત્યારે સૌથી સુંદર બિલ્ડીંગ મેં જોઈ તે અંગ્રેજો દ્વારા નહીં, પણ ભારતીયો દ્વારા બનાવામાં આવી હતી. તે પણ ઉપનિવેશ કાળથી ખૂબ પહેલા, જ્યાં આ લોકો આર્થિક રીતે આ બધું બનાવવાને લાયક પણ નહોતા.