હવે ટૂંક જ સમયમાં સૈફ અને કરીના ફરી પેરેન્ટ્સ બનવાના છે, ત્યારે વેબ સીરિઝ તાંડવને લઈને જે વિવાદ સર્જાયો છે તેના કારણે સૈફની માતા શર્મિલા ટાગોર ખૂબ જ પરેશાન છે.
સૈફ અલી ખાનની માતા શર્મિલા ટાગોરની તબિયત બગડી
તાંડવ વિવાદને લઈને પરેશાન છે શર્મિલા ટાગોર
સુપ્રીમ કોર્ટે 'તાંડવ' ટીમની સમસ્યાઓમાં વધારો કર્યો
સૈફ અલી ખાનની વેબ સીરિઝ તાંડવને લઈને શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. ત્યારે આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ તાંડવની ટીમને અરેસ્ટ ન કરવાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. ત્યારે હવે આવી સ્થિતિમાં હવે તાંડવ સ્ટાર સૈફ અલી ખાનની માતા શર્મિલા ટાગોરની તબિયત લથડી છે. કહેવામાં આવી રહ્યું છે કે શર્મિલા આ વિવાદ શરૂ થવાને કારણે ખૂબ પરેશાન છે.
શર્મિલા ટાગોરની તબિયત લથડી
સ્પોટબોયના અહેવાલ મુજબ 'તાંડવ' કોન્ટ્રોવર્સી શરૂ થઈ ત્યારથી જ શર્મિલા ટાગોરની તબિયત બગડી છે. આ સીરિઝ સતત વિવાદોમાં છવાયેલી રહેવાને કારણે શર્મિલા ટાગોર પરેશાન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શર્મિલા સૈફને હમેશાં કોઈ નવો પ્રોજેક્ટ સાઈન કરતા પહેલાં સૈફ બરાબર વિચારી લેવાની સલાહ આપે છે. સાથે જ કોઈપણ પ્રકારના જાહેર નિવેદનો ટાળવાની સલાહ પણ આપે છે.
સ્પોટબોયના એક રિપોર્ટ અનુસાર એક સૂત્રએ જણાવ્યું કે 'સૈફ અલી ખાન અને કરીના ફરી ફેબ્રુઆરીમાં માતા-પિતા બનવાના છે. આવી સ્થિતિમાં 'તાંડવ'ને કારણે વિવાદ ઊભો થઈ ગયો છે. આ બધી બાબતોને જોતા શર્મિલા ટાગોરની ચિંતા વધી ગઈ છે. તે સૈફને તેના જાહેર નિવેદનો અને તે પ્રોજેક્ટ્સ પ્રત્યે સાવધ રહેવાનું કહ્યું છે.
'તાંડવ' વિવાદ બાદ સૈફ અલી ખાને નિર્ણય લીધો છે કે હવે તે સમજી વિચારીનેપ્રોજેક્ટમાં સામેલ થશે. આ સાથે તે નવા પ્રોજેક્ટ્સ પર તેની માતાનો અભિપ્રાય પણ લેશે અને પછી જ્યારે બધું બરાબર લાગશે તો જ તેમાં કામ કરશે. તમને જણાવી દઈએ કે, એક જૂના ઇન્ટરવ્યૂમાં શર્મિલા ટાગોરે કહ્યું હતું કે, સૈફ અભિનેતા તરીકે કોઈ જોખમ લેવામાં પીછેહઠ કરતો નથી. તે હમેશાં કોઈપણ પગલું વિચારીને લે છે.
સુપ્રીમ કોર્ટે 'તાંડવ' ટીમની સમસ્યાઓમાં વધારો કર્યો
તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે 'તાંડવ' કેસની સુનાવણી કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે આવી સ્ક્રિપ્ટ ન લખવી જોઈએ, જે લાગણીઓને ઠેસ પહોંચાડે છે. કોર્ટે આ મામલે નોટિસ પણ જારી કરી છે. આ સાથે જે છ રાજ્યોમાં એફઆઈઆર નોંધાયેલી છે ત્યાં ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનું કહ્યું છે. તાંડવના નિર્માતાઓને વચગાળાના જામીન આપવાનો ઇન્કાર કરતાં કોર્ટે કહ્યું કે તમે આ માટે હાઇકોર્ટનો સંપર્ક કરી શકો છો.