રાજદ્રોહનાં આરોપમાં પકડાયેલા શરજીલ ઈમામે આરોપી સ્વીકારી લીધો છે. શરજીલ ઈમામે વીડિયો બાબતે ખુલાસો કર્યો છે કે વીડિયો સાથે કોઈ છેડછાડ નથી થઈ. અલીગઢ મુસ્લિમ યુનિમાં ભાષણનો વીડિયો તેનો જ છે.
ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ સરજીલ ઇમામે કર્યો ખુલાસો
CAA પ્રદર્શનમાં શરજીલે દેશ વિરોધી ભાષણ આપ્યું હતું
દેશ વિરોધી ભાષણ મુદ્દે ઇમામ સામે દેશદ્રોહનો કેસ
એક કલાક સુધી આપ્યું હતું ભાષણ
રાજદ્રોહનાં આરોપ હેઠળ પકડાયેલા શરજીલ ઈમામ જેએનયુનો સ્કોલર વિદ્યાર્થી છે. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમની પુછપરછમાં તેણે સ્વીકાર્યું હતું કે અલીગઢ મુસ્લિમ યુનિ.(એઅમયુ)માં ઉશ્કેરણીજનક ભાષણ આપતો વીડિયો તેનો જ છે. વીડિયોમાં કોઈ છેડછાડ નથી કરાઈ. ઉલ્લેખનીય છે કે શરજીલનું કહેવું છે કે વાયરલ થયેલો વીડિયો અધુરો છે. તેમણે 1 કલાકનું ભાષણ આપ્યું હતું. ભાષણ દરમિયાન ઉત્સાહમાં તેણે આસામને દેશથી અલગ કરવાનું નિવેદન આપી દીધું હતું. શરજીલ ઈમામ બાદ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ સેલના અધિકારીઓનું માનવું છે કે શરજીલે સમજી વિચારીને રાજનીતિને હેઠળ ભાષણ આપ્યું હતું.
મોબાઇલ બંધ કરી પોતાના ગામ કાકોમાં છૂપાયો હતો
શરજીલે અમ પણ જણાવ્યું કે 25જાન્યુઆરીએ તે શાહીન બાગમાં ભાષણ આપી રહ્યો હતો ત્યારે ખબર પડી હતી કે તેની સામે ફરિયાદ થઈ છે એટલે તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચનાં સુત્રોનાં જણાવ્યાનું સાર તેણે ફુલવારી શરીફમાં પોતાનો ફોન બંધ કર્યો હતો. એ બાદ તે કોકો ગામ પહોંચ્યો હતો અને પકડાયો ત્યાં સુધી ત્યાં જ છુપાયેલો હતો.
ઈમામવાડાથી બહાર નીકળતા જ પોલીસે કરી ધરપકડ
દિલ્હી પોલીસનાં જણાવ્યાનુંસાર શરજીલ કાકો ગામનાં ઈમામવાડા(જ્યાં તાજિયા રખાય છે)માં છુપાયો હતો. ત્યાં અંદર જઈને તેને પકડવો મુશ્કેલ હોવાથી તે બહાર આવે ત્યાં સુધી તેમણે રાહ જોઈ હતી. આ પ્લાન કામ કરી ગયો હતો.
શરજીલને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવવામાં આવ્યો હતો
દિલ્હી ક્રાઈમ બ્રાન્ચનાં ડીસીપી રાજેશ દેવે સાકેત કોર્ટમાં રજુ કરી 5 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતાં. તેમણે કહ્યું હતું કે તેની પાછળ કોણ કોણ છે. તેમજ વીડિયોની પુષ્ટિ સહીતની અનેક તપાસ માટે આટલા દિવસનાં રિમાન્ડ આપવા જોઈએ. ઉલ્લેખનીય છે કે બિહારના જહાનાબાદથી પકડાયેલા શરજીલ ઈમામને બુધવારે પટનાથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ જહાનાબાદ કોર્ટથી મંગળવારે દિલ્હી પોલીસે શરજીલને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવવામાં આવ્યો હતો.