કેન્દ્ર સરકારે ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટરને આજથી લાગુ પડતા આઈટીના નવા નિયમોનું કડકાઈથી પાલન કરવાનો આદેશ આપ્યો છે.
ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટર માટે લાગુ પડ્યાં નવા નિયમો
નવા નિયમોનું કડકાઈથી પાલન કરવાનો આદેશ
સોશિયલ મીડિયાએ સરકારને આપવો પડશે જવાબ
કેન્દ્રીય આઈટી મંત્રાલયને તમામ સોશિયલ મીડિયાને પત્ર લખીને જાણવા માંગ્યું છે કે તેમણે આઈટીના નવા નિયમોનું પાલન કરવા પગલાં ભર્યાં છે કે નહીં. કેન્દ્ર સરકારે તેમના જવાબની માંગણી કરી છે.
Ministry of Electronics & Information Technology asks all social media intermediaries compliance details over the new 'the InformationTechnology (Intermediary Guidelines and Digital Ethics Code) Rules, 2021'. pic.twitter.com/5hvWekHK8n
ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટરને નવા નિયમોનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય અપાયો હતો. નવા નિયમોમાં સોશિયલ મીડિયાએ ભારતમાં એક પાલન અધિકારીની નિયુક્તી કરવાની ફરજિયાત બનાવાયું છે. આઈટી મંત્રાલયે પત્રમાં નિયમ પાલનની સ્થિતિ સરકારને વાકેફ કરવાનો સોશિયલ મીડિયાને આદેશ આપ્યો છે. સરકારે આગ્રહપૂર્વક જણાવ્યું કે કૃપા કરીને તમારો જવાબ અમને આપો.
કેન્દ્ર સરકારના નવા નિયમો પ્રમાણે WhatsApp મેસેજિંગ એપ પર મોકલવામાં આવેલ મેસેજના ઓરિજીન અંગેની જાણકારી રાખવી પડશે. આ નિયમ વિરૂદ્ધ કંપનીએ 25 મેના રોજ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે કે, તેનાથી યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લઘન છે. તેના પર કેન્દ્ર સરકારે કહ્યું કે, સરકારે Whatsappને રોકડું પરખાવ્યું, કહ્યું- ગોપનીયતાના અધિકાર માટે સન્માન કરીએ છીએ પરંતુ ગંભીર મામલાઓમાં જાણકારી આપવી પડશે.
કેન્દ્ર સરકારે કહ્યું- પ્રાઈવસીનું ઉલ્લંઘન કરવાનો કોઈ ઈરાદો નથી
કેન્દ્ર સરકારે કડક ટિપ્પણી કરતા કરતા ટ્વીટ કર્યું કે, એક તરફ WhatsApp પોતાના યુઝર્સ માટે આવી પ્રાઈવસી પોલીસીને અનિવાર્ય કરવા મથી રહ્યું છે, જેના હેઠળ તેમની અંગત જાણકારી પોતાની પેરેન્ટ કંપની ફેસબુકની સાથે શેર કરી શકે. તો બીજી તરફ કાયદાકીય વ્યવસ્થાને યથાવત રાખવા અને ફેક ન્યૂઝ પર અંકુશ લગવવા માટે લાવવામાં આવેલ ભારત સરકારની ઇન્ટરમીડિયરી ગાઈડલાઈન્સને લાગુ કરવાનો નનૈયો ભણી રહી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, અમારા યુઝર્સની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો કોઈ જ ઈરાદો નથી.