કોરોના સંકટ વચ્ચે ભારતીય શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બુધવારે શેરબારમાં તેજીનો દિવસ રહ્યો અને દિવસ પૂર્ણ થયો તે સમયે સેન્સેક્સમાં 605.64 અંકોની તેજી જોવા મળી અને તે 32720.16 અંક પર બંધ થયો હતો. આ તરફ નિફ્ટીમાં પણ તેજી જેવા મળી અને નિફ્ટી 9553.35ના આંકડા સાથે બંધ થયો હતો.
કોરોના સંકટ વચ્ચે ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો
સેન્સેક્સમાં 605.64 અંકોની તેજી
નિફ્ટીમાં જોવા મળી તેજી
બીએસઈની 30 કંપનીનો શેર સેન્સેક્સ ઈન્ડેક્સ 300 થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે 32,431.20 પર ખુલ્યો હતો. સવારના કોરાબારમાં સવા દશ કલાકે તે 334.95 અંક એટલે કે 1.04 ટકા ચઢીને 32,449.47 અંક પર ચાલી રહ્યો હતો. આ જ રીતે નિફ્ટી 98.5 અંક એટલે કે 1.05 ટકાના વધારાની સાથે 9,478.95 અંક પર કારોબાર કરી રહ્યો છે.
એશિયાઇ બજારમાં સકારાત્મક વલણની અસર સ્થાનિક બજાર પર પડી
ગત સત્રમાં કોરોબારમાં સેન્સેક્સ 32,114.52 અંક અને નિફ્ટી 9,380.90 અંક પર બંધ થયો હતો. બ્રોકરો અનુસાર શંઘાઇ, હોંગકોંગ તથા સિયોલ જેવા મુખ્ય એશિયાઇ બજારમાં સકારાત્મક વલણની અસર સ્થાનિક બજાર પર પડી છે.
રોકાણકારોની ધારણા મજબૂત બની રહી છે
આ સિવાય વૈશ્વિક સ્તર પર ધીમે-ધીમે લૉકડાઉન પૂર્ણ થવાની આશાથી રોકાણકારોની ધારણા મજબૂત જોવા મળી રહી છે. બંધ પૂર્ણ થવાની આર્થિક ગતિવિધિઓ ફરીથી શરૂ કરવામાં સરળતા રહેશે. આરંભિક આંકડા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ મંગળવારે 122.15 કરોડ રુપિયાની વેચાવલી કરી. આંતરરાષ્ટ્રીય સ્તર પર બ્રેન્ટ કાચા તેલના ભાવ 3.52 ટકાથી વધીને 23.54 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યા છે.