ઘણા લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે. કેટલાક લોકો બજારમાં ટૂંકા સમય માટે રોકાણ કરે છે, જ્યારે કેટલાક લોકો લાંબા ગાળા માટે પણ રોકાણ કરે છે. જો કે લાંબા ગાળા માટે રોકાણ કરતી વખતે કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.
શેર માર્કેટમાં લોન્ગ ટર્મ માટે કરો ઈનવેસ્ટ
ધ્યાનમાં રાખો આટલી વાતો
નહીં તો થઈ શકે છે મોટુ નુકસાન
શેરબજારમાં દરરોજ ઉતાર-ચઢાવ આવે છે. લોકો પૈસાનું રોકાણ કરે છે, પૈસા કમાય છે અથવા નુકસાન ભોગવે છે. ઘણા લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે. તેમાં એવા ઈનવેસ્ટર્સ પણ હોય છે કે જેઓ દરરોજ નાણાંનું રોકાણ કરે છે અને દરરોજ નફો કે નુકસાન ઉઠાવે છે.
ત્યાં જ એવા કેટલાક લોકો છે જેને લોન્ગ ટર્મ ઈનવેસ્ટ કરે છે. આવા રોકાણકારોને લાંબા ગાળાના રોકાણકારો કહેવામાં આવે છે. જો કે લાંબા ગાળાના રોકાણ કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. પરંતુ શું તમે જાણો છો કે લાંબા ગાળાના રોકાણના ફાયદા શું છે? આવો જાણીએ તેના વિશે...
શું છે લોન્ગ ટર્મ ઈનવેસ્ટમેન્ટના ફાયદા?
Edu91ના સ્થાપક અને Learn Personal financeના કો-ફાઉન્ડર નીરજ અરોરાએ લાંબા ગાળાના રોકાણ વિશે વિગતવાર સમજાવ્યું છે. નીરજ અરોરા કહે છે કે શેરબજારમાં લોન્ગ ટર્મ રોકાણ કરવું ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. તેમણે આ વિશે જણાવ્યું કે લોકોએ એક ટાર્ગેટને ધ્યાનમાં રાખીને લાંબા સમય સુધી સ્ટોકમાં પૈસા રોકવા જોઈએ.
કંપનીની પસંદગી
નીરજ કહે છે કે લાંબા ગાળાના રોકાણ માટે કંપનીની પસંદગી પણ કાળજીપૂર્વક કરવી જોઈએ. કોઈપણ કંપનીમાં લાંબા ગાળાનો હિસ્સો લેતી વખતે, વ્યક્તિએ કંપનીની વર્તમાન સ્થિતિ, તેના પ્રોફિટ-લોસ, કંપનીનું કામ, તેના પ્રમોટર્સ વગેરે વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ અને આ માહિતીથી જ્યારે સંતુષ્ટ હોય ત્યારે જ કંપનીમાં રોકાણ કરવું જોઈએ.
દરેક ખબર પર નજર
આ સાથે નીરજ કહે છે કે જો કોઈ કંપનીમાં લોન્ગ ટર્મના રોકાણ માટે હિસ્સો લેવામાં આવે છે, તો દર 3 થી 6 મહિનામાં કંપનીના કામકાજ પર અથવા કંપની સંબંધિત મોટા સમાચાર પર ધ્યાન રાખવું જોઈએ અને જો કોઈ નકારાત્મક સમાચાર હોય તો તે શેરમાં લાંબા ગાળાના રોકાણ માટે રીથિંક કરવું જોઈએ.
જલ્દીમાં ન લો ખોટો નિર્ણય
નીરજ અરોડાનું કહેવું છે કે જો કોઈ રોકાણકારોએ સારી કંપનીમાં રોકાણ કર્યું છે અને તે કંપનીનું એક-બે ત્રણ મહિનાનું પરિણામ ખરાબ આવે છે તો જલ્દી જલ્દીમાં કોઈ ખોટો નિર્ણય ન લઈ લો. પહેલા આ સારી રીતે જાણી લો કે રિઝલ્ટ ખરાબ આવવાનું કારણ શું છે? પછી કોઈ રિઝલ્ટ પર પહોંચો.