ONGC, નેસ્લે ઇન્ડિયા, ભારતી એરટેલ, SBI લાઇફ ઇન્સ્યોરન્સ અને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝમાં ઘટાડો થયો
શેરબજાર ખુલતાની સાથે જ 1437 શેર વધ્યા
સેન્સેક્સ 500 પોઈન્ટ ઊછળ્યો, નિફ્ટી 15800 પર
સતત ચાર દિવસ સુધી ઘટાડો ચાલુ રહ્યો હતો
દેશમાં ગુરુવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 506 પોઈન્ટ અથવા 0.96 ટકા વધીને 53,048 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 142 પોઈન્ટ અથવા 0.91 ટકા વધીને 15,835ના સ્તરે ખુલ્યો હતો. અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે શેરબજારે લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 506 પોઈન્ટ અથવા 0.96 ટકા વધીને 53,048 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 142 પોઈન્ટ અથવા 0.91 ટકા વધીને 15,835 પર ખુલ્યો હતો.
શેરબજાર ખુલતાની સાથે જ 1437 શેર વધ્યા
શેરબજાર ખુલતાની સાથે જ લગભગ 1437 શેર વધ્યા છે તો સામે 250 શેર ઘટ્યા છે. આ સાથે 56 શેર યથાવત રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક, ICICI બેંક અને બજાજ ફિનસર્વ નિફ્ટીમાં મુખ્ય નફાકારક હતા. જ્યારે ONGC, નેસ્લે ઇન્ડિયા, ભારતી એરટેલ, SBI લાઇફ ઇન્સ્યોરન્સ અને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝમાં ઘટાડો થયો હતો.
સતત ચાર દિવસ સુધી ઘટાડો ચાલુ રહ્યો
અગાઉ શેરબજારમાં સતત ચાર દિવસ સુધી ઘટાડો ચાલુ રહ્યો હતો. બુધવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં નજીવા વધારા સાથે ખૂલ્યા બાદ આખરે એક દિવસના ટ્રેડિંગ પછી બંને સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 152 પોઈન્ટ ઘટીને 52,541 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 40 પોઈન્ટ ઘટીને 15,692 પર બંધ થયો હતો.