ICC ટી20 વર્લ્ડ કપ 2021 માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીનું એલાન કરવામાં આવશે પરંતુ 15 સદસ્યની સ્વોડમાં શાર્દુલનું સામેલ થવું મુશ્કેલ છે.
શાર્દુલ ઠાકુરને આ દિગ્ગજથી ખતરો
દિગ્ગજ ખેલાડીને રિપ્લેસ નહી કરી શકે
2021માં ટી20 વર્લ્ડકપ રમવાનું સપનું પુરુ નહી થાય
શાર્દુલને ભૂવીથી ખતરો
ફાસ્ટ બૉલર શાર્દુલ ઠાકુર માટે મોટો ખતરો ભુવનેશ્વર કુમાર છે કારણ કે ભૂવી વિકેટ લેવાની સાથે સાથે શાનદાર બોલર પણ છે. તેવામાં શાર્દુલ કદાચ આ સિનિયર બોલરને ટી 20 વર્લ્ડકપમાં રિપ્લેસ ન કરી શકે.
શાર્દુલ ઠાકુરે 22 ટી 20 ઇન્ટરનેશનલ મેચમાં 9.11ની ઇકોનોમી રેટ અને 22.29ની ઔસતથી 31 વિકેટ લીધી છે જ્યારે ભૂવીએ 51 ટી 20 મેચમાં 6.90ની ઇકોનોમી રેટ અને 25.10ની ઓસતથી 50 વિકેટ લીધી છે.
ડૉટ બોલ ફેંકવામાં ભુવી માહેર
ભુવનેશ્વર કુમારની સૌથી મોટી ખાસિયત છે કે તે વધારે ને વધારે ડૉટ બોલ ફેંકે છે. તે સિવાય તેનો ઇકોનોમી રેટ શાર્દુલ કરતા સારો છે. ટી 20માં વિકેટ લેવી અને ઓછા રન આપવા તે પણ મહત્વનું છે માટે ભુવીને શાર્દુલ રિપ્લેસ નહી કરી શકે.
ભુવનેશ્વર કુમારને ઇજા થઇ તે બાદ જ્યારથી તે સાજો થયો છે તેણે ટી 20માં શાનદાર પ્રદર્શન કર્યો છે. તેણે શ્રીલંકા વિરુદ્ધની 3 મૅચમાં 5 વિકેટ લીધી હતી. ટી 20માં આ વર્ષે રમવું શાર્દુલ માટે સપનું જ રહી જશે.