ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે સોમવારે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકરે સાથે સગાઈ કરી લીધી છે.
શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરે સગાઈ કરી
2022 માં લગ્ન કરે તેવી શક્યતા
લોર્ડ શાર્દુલ હાલમાં નેશનલ ટીમમાંથી બહાર છે
શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકર ઘણા લાંબા સમયથી રિલેશનશીપમાં હતા. મુંબઈના બાન્દ્રા કૂર્લા કોમ્પેલેક્સમાં સગાઈનો કાર્યક્રમ ગોઠવાયો હતો જેમાં સગાવહાલા અને પરિવારના સભ્યો હાજર રહ્યાં હતા. સૂત્રોના જણાવ્યાનુસાર સગાઈ સમારોહમાં 57 લોકો હાજર રહ્યાં હતા.
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) November 29, 2021
2022 માં ટી-20 વર્લ્ડ કપ બાદ લગ્ન કરી શકે
શાર્દુલ ઠાકુર અને મિતાલી 2022 માં ટી-20 વર્લ્ડ કપ બાદ લગ્ન કરી શકે છે. શાર્દુલ અને પારુલની સગાઈનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સે તેના ખેલાડી શાર્દુલને સગાઈના અભિનંદન આપ્યા છે.
શાર્દુલ છેલ્લે આ વર્ષે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં યોજાયેલા ક્રિકેટના મેદાન પર ટી-20 વર્લ્ડ કપ 2021માં દેખાયો હતો. જમણા હાથના પેસર શાર્દુલે આ ટી-20 વર્લ્ડ કપમાં બે મેચ રમવાની હતી. શાર્દુલ બ્રેક હેઠળ ન્યૂઝીલેન્ડ હાલ ઘરઆંગણાની શ્રેણીમાંથી બહાર છે. તેણે વર્લ્ડ કપ બાદ બીસીસીઆઈને આરામ માટે અપીલ કરી હતી. શાર્દુલની ક્રિકેટ કારકિર્દી 30 વર્ષીય શાર્દુલ અત્યાર સુધીમાં 4 ટેસ્ટ, 15 વન ડે અને 23 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.
શાર્દુલની ક્રિકેટ કેરિયર પર એક નજર
શાર્દુલ ટેસ્ટમાં 14 વિકેટ ઝડપી છે જ્યારે વન ડેમાં તેની 22 વિકેટ છે. શાર્દુલે ટી-૨૦માં ૩૧ વિકેટ ઝડપી હતી. શાર્દુલે આઇપીએલની 61 મેચમાં કુલ 67 વિકેટ ઝડપી છે. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ ૨૭.૮૭ રહી છે અને સ્ટ્રાઇક રેટ ૧૮.૮૧ છે.