ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે વિસ્ફોટક મેચ થઇ હતી. આખી મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી. ભારતે આ મેચ પણ સુપરઓવરમાં જીતી લીધી. આજની મેચના અસલી નાયક શાર્દુલ ઠાકુર રહ્યા હતા. આ મેચમાં ત્રણ બેટ્સમેને 50 રન કર્યા હતા છતાં શાર્દુલ ઠાકુરને મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી.
સુપર ઓવરમાં સાતમી વાર હાર્યું ન્યૂઝીલેન્ડ
શાર્દુલ ઠાકુરે છેલ્લી ઓવરમાં કર્યું શાનદાર પ્રદર્શન
આજની મેચમાં સીરીઝમાં સતત ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમે ટોસ જીત્યો અને ભારતને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું. ટીમ ઈન્ડિયાએ 8 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા. સૌથી વધારે 50 રન મનીષ પાંડેએ બનાવ્યા. જયારે કે એલ રાહુલે 39 રનનું યોગદાન કર્યું. ન્યૂઝીલેન્ડની ટીમ જવાબમાં મેદાનમાં ઉતારી ત્યારે તે પણ 165 રન જ બનાવી શકી. તેમની તરફથી કોલીન મુનરોએ 64 રન ફટકાર્યા. ટિમ સીફર્ટે 57 રન બનાવ્યા.
સુપરઓવરમાં જસપ્રીત બુમરાહે કુલ 13 રન આપ્યા અને 14 રનના લક્ષ્યાંક સામે કે એલ રાહુલે 10 અને વિરાટ કોહલીએ 6 રન બનાવી ભારતને જીત અપાવી. મેચમાં ત્રણ ખેલાડીઓએ ફિફ્ટી રન કર્યા. મનીષ પાંડેએ 50, ટિમ સીફર્ટે 57 અને મુનરોએ 64 રન બનાવ્યા હતા. તે છતાં આ મેચમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી શાર્દુલ ઠાકુર બન્યો.
શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 33 રન આપી 2 વિકેટ ઝડપી હતી. તેમને મેન ઓફ ધ મેચ આપવાનું મુખ્ય કારણ છેલ્લી મેચમાં શાનદાર બોલિંગ માટે આપવામાં આવી.શાર્દુલે આ ઓવરમાં 6 રન આપ્યા અને 6 બોલમાં 4 વિકેટ પડી. આ ઓવરમાં બે કેચ અને બે રન આઉટ થયા હતા. જે બાદ આખી મેચ જ પલટાઈ ગઈ અને ભારતને સુપર ઓવરની તક મળી ગઈ.
શાર્દુલ ઠાકુરને જયારે બોલ આપવામાં આવ્યો ત્યારે 3 ઓવરમાં 27 આપી દેવામાં આવ્યા હતા છતાં શાર્દુલે આત્મવિશ્વાસ રાખ્યો અને છેલ્લી ઓવરમાં શાનદાર પ્રદર્શન કર્યું.