બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / નવરાત્રીના ત્રીજા દિવસે થાય છે માં ચંદ્રઘંટાની પૂજા, જાણો મંત્ર, વિધિ, આરતી અને મહત્વ

નવરાત્રી 2024 / નવરાત્રીના ત્રીજા દિવસે થાય છે માં ચંદ્રઘંટાની પૂજા, જાણો મંત્ર, વિધિ, આરતી અને મહત્વ

Last Updated: 12:01 AM, 5 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 2024 Day 3 Maa Chandraghanta: આજે નવરાત્રીનું ત્રીજુ નોરતુ છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાની પૂજા અર્ચના કઈ રીતે કરવામાં આવે છે જાણો.

નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીના નવ અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે. આજના દિવસે માતા ચંદ્રઘંટાની પજા કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર બનેલો છે.

pooja-durgha-navratri-

જેના કારણે ભક્તો માતાને ચંદ્રઘંટા કહે છે. એવું માનવામાં આવે છે કે માતાજી પોતાના ભક્તોના દુખોને દૂર કરવા માટે હાથોમાં ત્રિશૂળ, તલવાર અને ગદા રાખે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા ચંદ્રઘંટાને રાક્ષસોના વધ કરનાર માનવામાં આવે છે.

Navratri_2

માતા ચંદ્રઘંટાની પૂજા વિધિ

નવરાત્રીના ત્રીજા દિવસે વિધિ-વિધાનથી માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવશે. માતાજીની આરાધના 'ઓમ દેવી ચંદ્રઘંટાય નમઃ'ના જાપથી કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાને સિંદૂર, અક્ષત, ગંધ, ધૂપ, પુષ્પ અર્પિત કરો. તમે માતાજીને દૂધ બનાવેલી મિઠાઈનો ભોગ પણ લગાવી શકો છો. નવરાત્રીના દરેક દિવસે નિયમથી દુર્ગા ચાલીસા અને દુર્ગા આરતી કરો.

PROMOTIONAL 13

માતા ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ

માતા ચંદ્રઘંટાની કૃપાથી ઐશ્વર્ય અને સમૃદ્ધિની સાથે સુખી દાંપત્ય જીવનની પણ પ્રાપ્તિ થાય છે. વિવાહમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

navratri-2024

માતા ચંદ્રઘંટાનો પ્રિય રંગ

માતા ચંદ્રઘંટાની પૂજા કરતી વખતે લાઈટ પીળા રંગના વસ્ત્રો પહેરો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

માતા ચંદ્રઘંટાનું પ્રિય પુષ્પ

માન્યતા છે કે માતા ચંદ્રઘંટાને સફેદ કમળ અને પીળા ગુલાબની માળા અર્પિત કરવાથી ભક્તોની મનોકામનાઓ પુરૂ થાય છે.

વધુ વાંચો: એ દેવીમાં જેના પરચાએ બાદશાહ અકબરને ઝુકાવી દીધો, જ્યારે કાપેલું ગળું ફરી ઘડ સાથે જોડી ગયું હતું

માતા ચંદ્રઘંટાનો પ્રિય ભોગ

માતા ચંદ્રઘંટાને કેસરની ખીર અને દૂધથી બનેલી મિઠાઈનો પણ ભોગ અર્પિત કરવો જોઈએ. તેના ઉપરાંત પંચામૃત, ખાંડ અને મિશ્રી માતાજીને અર્પિત કરવામાં આવે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maa Chandraghanta Navratri 2024 Shardiya Navratri 2024 Day 3
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ