નોરતાની શરૂઆત આજથી થઇ છે. આ નવ દિવસ માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીને ખૂબ જ પવિત્ર પર્વ માનવામાં આવ્યું છે. આ દિવસે આ પવિત્ર છોડ લગાવવાથી માં દુર્ગાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
નવરાત્રીનો આજથી થયો છે શુભારંભ
આજથી નવ દિવસ સુધી ક્યારેય પણ લગાવો આ છોડ
માં દુર્ગાનો આશીર્વાદ થશે પ્રાપ્ત
નવરાત્રી દરમ્યાન લગાવો આ છોડ
નવરાત્રી દરમ્યાન અમુક છોડને ઘરમાં લગાવવાનુ શુભ માનવામાં આવ્યું છે. જેનાથી માં દુર્ગાની કૃપા તો પ્રાપ્ત થાય છે. આ સાથે ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો જાણીએ નવરાત્રીમાં કયા છોડને લગાવી શકાય છે.
શંખ પુષ્પીનો છોડ
શંખ પુષ્પીનો છોડ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ શુભ ફળદાયી માનવામાં આવ્યો છે. માન્યતા છે કે આ છોડને નવરાત્રીમાં લગાવવાથી ઘરમાં સપન્નતા આવે છે અને માં દુર્ગાની કૃપાથી ભક્તોની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો જ્યોતિષ મુજબ છોડના મૂળને ચાંદીના બોક્સમાં રાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જો તમે પણ આ છોડને નોરતાના નવ દિવસમાંથી કોઈ એક દિવસ લગાવો છો તો માં દુર્ગા પ્રસન્ન થઇને તમારા ઘરમાં વાસ કરશે.
કેળનો છોડ
હિન્દુ ધર્મમાં કેળના છોડનુ પણ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. માન્યતા છે કે કેળના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જ્યોતિષ મુજબ જો તમે આ છોડને નોરતામાં ઘરમાં લગાવો છો તો તેનાથી શ્રી હરિ તમારા ઘરમાં રહેશે. આ સાથે ગુરૂવારે પાણીમાં દૂધ મિક્સ કરીને અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-સપન્નતા આવે છે. જ્યારે માં લક્ષ્મીનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
તુલસીનો છોડ
કહેવાય છે કે તુલસીના છોડમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. એવામાં તેને નોરતામાં લગાવવાથી વધુ લાભદાયી માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીના દિવસને પવિત્ર માનવામાં આવ્યાં છે. એવામાં આ દિવસ દરમ્યાન તુલસીનો છોડ લગાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે અને નાણાંકીય સમસ્યાઓ પણ દૂર થાય છે. શાસ્ત્રોમાં તુલસી પૂજાને લઇને અમુક જરૂરી નિયમો અંગે જણાવવામાં આવ્યું છે. જેનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. તેનાથી દેવીજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.